(N/A) $\rightarrow$ સજીવ તેને કહેવાય છે જે અમુક લાક્ષણિકતાઓ દર્શાવે છે જે તેને નિર્જીવ વસ્તુઓથી અલગ પાડે છે.
$\rightarrow$ સજીવ સ્વરૂપોના વ્યાખ્યાયિત લક્ષણો નીચે મુજબ છે:
$(1)$ ચયાપચય (Metabolism): સજીવના શરીરમાં થતી તમામ રાસાયણિક પ્રક્રિયાઓના સરવાળાને ચયાપચય કહે છે. તે એક વ્યાખ્યાયિત લક્ષણ છે કારણ કે કોઈ પણ નિર્જીવ વસ્તુ ચયાપચય દર્શાવતી નથી.
$(2)$ કોષીય આયોજન (Cellular organization): તમામ સજીવો એક અથવા વધુ કોષોના બનેલા હોય છે,જે જીવનના બંધારણીય અને કાર્યાત્મક એકમો છે.
$(3)$ સભાનતા (Consciousness): પર્યાવરણને અનુભવવાની અને પર્યાવરણીય ઉત્તેજનાઓ પ્રત્યે પ્રતિભાવ આપવાની ક્ષમતા એ તમામ સજીવોનો વ્યાખ્યાયિત ગુણધર્મ છે.
$(4)$ સ્વ-પ્રતિકૃતિ/સ્વ-આયોજન (Self-replication/Self-organization): સજીવોમાં સ્વ-પ્રતિકૃતિ અને સ્વ-આયોજન કરવાની ક્ષમતા હોય છે,જે જીવનની એક અજોડ લાક્ષણિકતા છે.