(N/A) વિખનીજીકરણ પામેલું પાણી એટલે એવું પાણી કે જે તમામ દ્રાવ્ય ખનિજ ક્ષારોથી મુક્ત હોય,જેમ કે $Ca^{2+}$,$Mg^{2+}$,$Na^{+}$,$Cl^{-}$,$SO_{4}^{2-}$ અને $HCO_{3}^{-}$ આયનો.
તે પાણીને ક્રમશઃ કેટાયન વિનિમય રેઝિન ($H^{+}$ સ્વરૂપમાં) અને એનાયન વિનિમય રેઝિન ($OH^{-}$ સ્વરૂપમાં) માંથી પસાર કરીને મેળવવામાં આવે છે.
$1.$ કેટાયન વિનિમય પ્રક્રિયામાં,પાણીમાં રહેલા $Na^{+}$,$Ca^{2+}$,$Mg^{2+}$ અને અન્ય કેટાયનોના બદલામાં $H^{+}$ આયનો મુક્ત થાય છે:
$2RH_{(s)} + M^{2+}_{(aq)} \longrightarrow MR_{2(s)} + 2H^{+}_{(aq)}$
$2.$ એનાયન વિનિમય પ્રક્રિયામાં,$Cl^{-}$,$HCO_{3}^{-}$ અને $SO_{4}^{2-}$ જેવા એનાયનોના બદલામાં $OH^{-}$ આયનો મુક્ત થાય છે:
$R'NH_{2(s)} + H_{2}O_{(l)} \longrightarrow R'NH_{3}^{+}OH^{-}_{(s)}$
$R'NH_{3}^{+}OH^{-}_{(s)} + X^{-}_{(aq)} \longrightarrow R'NH_{3}^{+}X^{-}_{(s)} + OH^{-}_{(aq)}$
અંતે,પ્રક્રિયામાં મુક્ત થયેલા $H^{+}$ અને $OH^{-}$ આયનો જોડાઈને પાણી બનાવે છે:
$H^{+}_{(aq)} + OH^{-}_{(aq)} \longrightarrow H_{2}O_{(l)}$