(N/A) $\Rightarrow$ $1838$ માં,મેથિયાસ સ્લાઈડન અને થિયોડોર શ્વાને કોષવાદ રજૂ કર્યો હતો.
$\Rightarrow$ મેથિયાસ સ્લાઈડન એક જર્મન વનસ્પતિશાસ્ત્રી હતા. તેમણે અવલોકન કર્યું કે તમામ વનસ્પતિઓ વિવિધ પ્રકારના કોષોની બનેલી હોય છે જે વનસ્પતિના પેશીઓનું નિર્માણ કરે છે.
$\Rightarrow$ બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી થિયોડોર શ્વાને વિવિધ પ્રકારના પ્રાણીઓનો અભ્યાસ કર્યો અને જણાવ્યું કે કોષોની બહાર એક પાતળું પડ હોય છે જેને કોષરસસ્તર (plasma membrane) કહેવામાં આવે છે. તેમણે એ પણ તારણ કાઢ્યું કે કોષદીવાલની હાજરી એ વનસ્પતિ કોષોનું વિશિષ્ટ લક્ષણ છે.
$\Rightarrow$ બંને વૈજ્ઞાનિકોએ સાથે મળીને કોષવાદ રજૂ કર્યો,જે મુજબ:
$(a)$ તમામ સજીવો કોષો અને તેના ઉત્પાદનોના બનેલા છે.
$(b)$ કોષ એ તમામ સજીવોનો રચનાત્મક અને કાર્યાત્મક એકમ છે.
$\Rightarrow$ જોકે,આ સિદ્ધાંત એ સમજાવવામાં નિષ્ફળ રહ્યો કે નવા કોષોનું નિર્માણ કેવી રીતે થાય છે.
$\Rightarrow$ રુડોલ્ફ વિર્ચો ( $1855$ માં) એ સૌપ્રથમ સમજાવ્યું કે કોષો વિભાજન પામે છે અને નવા કોષો પૂર્વ-અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી બને છે (Omnis cellula-e cellula).
$\Rightarrow$ તેમણે સ્લાઈડન અને શ્વાનની પરિકલ્પનામાં સુધારો કરીને કોષવાદને અંતિમ સ્વરૂપ આપ્યું:
$(i)$ તમામ સજીવો કોષો અને કોષોના ઉત્પાદનોના બનેલા છે.
$(ii)$ તમામ કોષો પૂર્વ-અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી ઉદ્ભવે છે.