(N/A) $\Rightarrow$ કોષ વિભાજન એ તમામ સજીવોમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે.
$\Rightarrow$ કોષ વિભાજન દરમિયાન $DNA$ નું સ્વયંજનન અને કોષની વૃદ્ધિ થાય છે.
$\Rightarrow$ કોષ વિભાજન,$DNA$ નું સ્વયંજનન અને કોષની વૃદ્ધિ જેવી તમામ પ્રક્રિયાઓ સુસંગત રીતે થવી જોઈએ જેથી યોગ્ય વિભાજન થાય અને અખંડ જનીનસમૂહ ધરાવતા બાળ કોષોનું નિર્માણ થાય.
$\Rightarrow$ કોષચક્ર: ઘટનાઓનો એવો ક્રમ જેના દ્વારા કોષ તેના જનીનસમૂહનું સ્વયંજનન કરે છે,કોષના અન્ય ઘટકોનું સંશ્લેષણ કરે છે અને અંતે બે બાળ કોષોમાં વિભાજિત થાય છે,તેને કોષચક્ર કહેવામાં આવે છે.
$\Rightarrow$ જોકે કોષની વૃદ્ધિ (કોષરસના વધારાના સંદર્ભમાં) એક સતત પ્રક્રિયા છે,પરંતુ $DNA$ નું સંશ્લેષણ કોષચક્રના માત્ર એક ચોક્કસ તબક્કા દરમિયાન જ થાય છે.
$\Rightarrow$ ત્યારબાદ સ્વયંજનિત રંગસૂત્રો $(2n)$ $(DNA)$ કોષ વિભાજન દરમિયાન જટિલ ઘટનાઓની શ્રેણી દ્વારા બાળ કોષકેન્દ્રોમાં વહેંચાય છે.
$\Rightarrow$ આ ઘટનાઓ જનીનિક નિયંત્રણ હેઠળ હોય છે.