(N/A) $\rightarrow$ પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે,જેમાં પ્રરોહાગ્ર વર્ધનશીલ પેશી પુષ્પીય વર્ધનશીલ પેશીમાં ફેરવાય છે. આંતરગાંઠો લંબાઈમાં વધતી નથી અને ધરી સંકુચિત બને છે. અગ્રભાગ પર્ણોને બદલે ક્રમિક ગાંઠો પર પાર્શ્વિય રીતે વિવિધ પ્રકારના પુષ્પીય અંગો ઉત્પન્ન કરે છે.
$\rightarrow$ જ્યારે પ્રરોહાગ્ર પુષ્પમાં રૂપાંતરિત થાય છે,ત્યારે તે હંમેશા એકાકી હોય છે. પુષ્પીય ધરી પર પુષ્પોની ગોઠવણીને પુષ્પવિન્યાસ કહેવામાં આવે છે. અગ્રભાગ પુષ્પમાં રૂપાંતરિત થાય છે કે વૃદ્ધિ ચાલુ રાખે છે તેના આધારે,પુષ્પવિન્યાસના બે મુખ્ય પ્રકારો વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે: $(i)$ અપરિમિત પુષ્પવિન્યાસ $(ii)$ પરિમિત પુષ્પવિન્યાસ.
$\rightarrow$ અપરિમિત પુષ્પવિન્યાસ: અપરિમિત પ્રકારના પુષ્પવિન્યાસમાં,મુખ્ય ધરી વૃદ્ધિ ચાલુ રાખે છે અને પુષ્પો પાર્શ્વિય રીતે અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાયેલા હોય છે.
$\rightarrow$ પરિમિત પુષ્પવિન્યાસ: પરિમિત પ્રકારના પુષ્પવિન્યાસમાં,મુખ્ય ધરી પુષ્પમાં અંત પામે છે,તેથી તેની વૃદ્ધિ મર્યાદિત હોય છે. પુષ્પો તલાભિવર્ધી ક્રમમાં ગોઠવાયેલા હોય છે.