(N/A) આદર્શ વાયુ સમીકરણ: બોઈલના નિયમ,ચાર્લ્સના નિયમ અને એવોગેડ્રોના નિયમના સંયોજનથી મળતા સમીકરણને "આદર્શ વાયુ સમીકરણ" કહેવામાં આવે છે.
આદર્શ વાયુ સમીકરણ: $pV = nRT$ (સમીકરણ-$i$)
આદર્શ વાયુ સમીકરણ ચાર ચલ $(p, V, n, T)$ વચ્ચેનો સંબંધ છે. તે કોઈપણ વાયુની અવસ્થા દર્શાવે છે,તેથી તેને અવસ્થાનું સમીકરણ કહેવાય છે.
આદર્શ વાયુ સમીકરણની તારવણી:
$(i)$ બોઈલનો નિયમ: $V \propto \frac{1}{p}$ ($T$ અને $n$ અચળ)
$(ii)$ ચાર્લ્સનો નિયમ: $V \propto T$ ($p$ અને $n$ અચળ)
$(iii)$ એવોગેડ્રોનો નિયમ: $V \propto n$ ($p$ અને $T$ અચળ)
આથી,$V \propto \frac{nT}{p}$
જો પ્રમાણિત અચળાંક $= R$ હોય,તો:
$V = R \left(\frac{nT}{p}\right)$
આમ,$pV = nRT$
વાયુ અચળાંક $R$ ના લક્ષણો અને મૂલ્ય:
- $R$ ને સાર્વત્રિક વાયુ અચળાંક તરીકે ઓળખવામાં આવે છે.
- $R$ નું મૂલ્ય દરેક વાયુ માટે સમાન હોય છે.
- $R$ નું મૂલ્ય $p, V$ અને $T$ ના માપનના એકમો પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે,$SI$ એકમોમાં $R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1}$ છે.