(N/A) વહેતા પાણીની ઉર્જાનો ઉપયોગ કરીને ઉત્પન્ન થતી વીજળીને જળવિદ્યુત કહેવામાં આવે છે.
જળવિદ્યુત ઉત્પાદનનો મૂળભૂત સિદ્ધાંત નીચે મુજબ છે:
$1$. નદીમાં વહેતા પાણીને ઊંચા બંધ $D$ (આકૃતિ જુઓ) બનાવીને એકત્રિત કરવામાં આવે છે. ઊંચાઈ પર સંગ્રહિત આ પાણીમાં પુષ્કળ પ્રમાણમાં સ્થિતિ ઉર્જા હોય છે.
$2$. ઊંચા બંધમાં સંગ્રહિત પાણીને બંધના પાયાની નજીક આવેલા ટર્બાઇન $G$ પર પડવા દેવામાં આવે છે.
$3$. જ્યારે ઝડપથી વહેતું પાણી ટર્બાઇનના પાંખિયા પર પડે છે,ત્યારે પાણીની ગતિ ઉર્જા ટર્બાઇનને ઝડપથી ફેરવે છે.
$4$. ટર્બાઇનનો શાફ્ટ વીજ જનરેટર અથવા ડાયનેમોના કોઈલ સાથે જોડાયેલ હોય છે. તેથી,જ્યારે જળ-ટર્બાઇન ઝડપથી ફરે છે,ત્યારે તેના શાફ્ટ પર નિશ્ચિત જનરેટર કોઈલ પણ ઝડપથી ફરે છે અને વીજળી ઉત્પન્ન કરે છે.