(N/A) વસ્તીનું કદ સ્થિર હોતું નથી. તે સમય સાથે બદલાતું રહે છે,જે ખોરાકની ઉપલબ્ધતા,શિકારનું દબાણ અને હવામાન જેવી પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. વસ્તી વૃદ્ધિ નક્કી કરતા મુખ્ય ચાર પરિબળો નીચે મુજબ છે:
$1$. જન્મદર (Natality - $B$): વસ્તીમાં આપેલા સમયગાળા દરમિયાન થતા જન્મની સંખ્યા.
$2$. મૃત્યુદર (Mortality - $D$): વસ્તીમાં આપેલા સમયગાળા દરમિયાન થતા મૃત્યુની સંખ્યા.
$3$. અંતઃસ્થળાંતર (Immigration - $I$): આપેલા સમયગાળા દરમિયાન અન્ય સ્થળેથી વસવાટમાં આવી ગયેલા સમાન જાતિના સજીવોની સંખ્યા.
$4$. બહિઃસ્થળાંતર (Emigration - $E$): આપેલા સમયગાળા દરમિયાન વસવાટ છોડીને અન્ય સ્થળે જતા રહેલા સજીવોની સંખ્યા.
જો સમય $t$ પર વસ્તી ગીચતા $N$ હોય,તો સમય $t+1$ પર તેની ગીચતા નીચેના સમીકરણ દ્વારા દર્શાવી શકાય છે:
$N_{t+1} = N_t + [(B + I) - (D + E)]$
જો જન્મ અને અંતઃસ્થળાંતરની સંખ્યાનો સરવાળો $(B + I)$,મૃત્યુ અને બહિઃસ્થળાંતરની સંખ્યાના સરવાળા $(D + E)$ કરતા વધારે હોય,તો વસ્તી ગીચતા વધશે; અન્યથા તે ઘટશે.