(N/A) બેક્ટેરિયા,વાયરસ,ફૂગ,પ્રજીવો,કૃમિ વગેરે જેવા સજીવોની વિશાળ શ્રેણી મનુષ્યમાં રોગ પેદા કરી શકે છે.
આવા રોગકારક સજીવોને રોગકારકો (Pathogens) કહેવામાં આવે છે.
મોટાભાગના પરોપજીવીઓ રોગકારકો છે કારણ કે તેઓ યજમાનના શરીરમાં અથવા તેની ઉપર રહીને તેને નુકસાન પહોંચાડે છે.
રોગકારકો વિવિધ માધ્યમો દ્વારા શરીરમાં પ્રવેશ કરી શકે છે,ગુણન પામી શકે છે અને સામાન્ય જૈવિક પ્રક્રિયાઓમાં દખલ કરે છે,જેના પરિણામે બાહ્યકારકીય અને કાર્યાત્મક નુકસાન થાય છે.
રોગકારકોમાં યજમાનના વાતાવરણમાં અનુકૂલન સાધવાની ક્ષમતા હોવી જોઈએ.
ઉદાહરણ તરીકે,આંતરડામાં પ્રવેશતા રોગકારકોએ ઓછા $pH$ વાળા જઠરમાં કેવી રીતે ટકી રહેવું અને વિવિધ પાચક ઉત્સેચકોનો સામનો કેવી રીતે કરવો તે જાણવું જરૂરી છે.