ભારતમાં પ્રાજનનિક સ્વાસ્થ્ય સુધારવા માટેના અગત્યના પગલાંઓ સૂચવો.
ભારતમાં પ્રાજનનિક સ્વાથ્ય સુધારવા માટે નીચે આપેલાં પગલાં જરૂરી બને છે :
$(i)$ મજબૂત આંતરિક સવલતો, વ્યાવસાયિક નિષ્ણાતોની હાજરી પ્રાજનનિક સ્વાથ્યના કાર્યક્રમને સફળ બનાવવા જરૂરી છે.
$(ii)$ લોકોને જન્મ નિયંત્રણ પદ્ધતિઓ, ગર્ભધારણ કરતી સ્ત્રીઓની સાવચેતી અને સંભાળ, સ્તનપાનની અગત્યતા; સંરક્ષિત અને સ્વચ્છ લિંગી પ્રજનન અને જાતીય સંક્રમિત રોગો $(STD)$ સામે રક્ષણ અંગેની માહિતી આપવામાં આવે છે.
$(iii)$ શાળાઓમાં જાતીય શિક્ષણ દ્વારા તરુણોને સાચી માહિતી પૂરી પાડવામાં આવે છે.
$(iv)$ શ્રાવ્ય - દશ્ય માધ્યમો અને સમાચારપત્રોના માધ્યમ દ્વારા વ્યક્તિઓમાં પ્રાજનનિક સ્વાથ્યને લગતી જાગૃતિ પેદા કરવા વિવિધ પગલાંઓ લેવામાં આવે છે.
$(v)$ વસ્તી વૃદ્ધિને કારણે સર્જાતી સમસ્યાઓ, સામાજિક અનિષ્ટો જેવાં કે જાતીય શોષણ, જાતિ સંબંધિત ગુનાઓ વગેરેને અટકાવવા અંગેની જાગૃતિ.
$(vi)$ જાતિ પરીક્ષણ (એમ્નિઓસેન્ટેસીસ) માટે કાયદાકીય રીતે પ્રતિબંધ મૂકવામાં આવે છે કે જેથી માદાના ગર્ભનું અને ગર્ભપાતનું કાયદેસર પરીક્ષણ થઈ શકે.
$1951$માં સૌપ્રથમ ભારત દ્વારા કુટુંબ નિયોજન કાર્યક્રમ શરૂ થયો, જે હાલમાં કયાં નામથી સુધારણા કાર્યક્રમ ચલાવે છે.
શું તમે સહમત છો આપણા દેશમાં છેલ્લાં $50$ વર્ષોમાં પ્રજનન-સ્વાથ્યમાં સુધારો થયો છે ? જો હા, તો કેટલાંક સુધારા થયેલ ક્ષેત્રો જણાવો.
પ્રજનન સંબંધિત ક્ષેત્રોમાં કઈ રીતે પ્રગતિ થઈ રહી છે ?
એમ્નિઓસેન્ટેસિસ(ઉલ્વજળ કસોટી) ........ માટે વપરાય છે.
એમ્નિઓસેન્ટેસીસ (ઉલ્વજળ કસોટી/ગર્ભજળ કસોટી) નીચેનામાંથી શેમાં ઉપયોગી નથી.