ભારતમાં પ્રાજનનિક સ્વાસ્થ્ય સુધારવા માટેના અગત્યના પગલાંઓ સૂચવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ભારતમાં પ્રાજનનિક સ્વાથ્ય સુધારવા માટે નીચે આપેલાં પગલાં જરૂરી બને છે :

$(i)$ મજબૂત આંતરિક સવલતો, વ્યાવસાયિક નિષ્ણાતોની હાજરી પ્રાજનનિક સ્વાથ્યના કાર્યક્રમને સફળ બનાવવા જરૂરી છે.

$(ii)$ લોકોને જન્મ નિયંત્રણ પદ્ધતિઓ, ગર્ભધારણ કરતી સ્ત્રીઓની સાવચેતી અને સંભાળ, સ્તનપાનની અગત્યતા; સંરક્ષિત અને સ્વચ્છ લિંગી પ્રજનન અને જાતીય સંક્રમિત રોગો $(STD)$ સામે રક્ષણ અંગેની માહિતી આપવામાં આવે છે.

$(iii)$ શાળાઓમાં જાતીય શિક્ષણ દ્વારા તરુણોને સાચી માહિતી પૂરી પાડવામાં આવે છે.

$(iv)$ શ્રાવ્ય - દશ્ય માધ્યમો અને સમાચારપત્રોના માધ્યમ દ્વારા વ્યક્તિઓમાં પ્રાજનનિક સ્વાથ્યને લગતી જાગૃતિ પેદા કરવા વિવિધ પગલાંઓ લેવામાં આવે છે.

$(v)$ વસ્તી વૃદ્ધિને કારણે સર્જાતી સમસ્યાઓ, સામાજિક અનિષ્ટો જેવાં કે જાતીય શોષણ, જાતિ સંબંધિત ગુનાઓ વગેરેને અટકાવવા અંગેની જાગૃતિ.

$(vi)$ જાતિ પરીક્ષણ (એમ્નિઓસેન્ટેસીસ) માટે કાયદાકીય રીતે પ્રતિબંધ મૂકવામાં આવે છે કે જેથી માદાના ગર્ભનું અને ગર્ભપાતનું કાયદેસર પરીક્ષણ થઈ શકે.

Similar Questions

$1951$માં સૌપ્રથમ ભારત દ્વારા કુટુંબ નિયોજન કાર્યક્રમ શરૂ થયો, જે હાલમાં કયાં નામથી સુધારણા કાર્યક્રમ ચલાવે છે.

પ્રજનન અને બાળ સ્વાસ્થ સંભાળનો હેતુ થું છે ?

સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટીટયુટ કયાં આવેલી છે?

શું શાળાઓમાં જાતીય શિક્ષણ જરૂરી છે ? શા માટે ?

ઉલ્વજળ કસોટી માટે અસંગત છે.