(N/A) નાઈટ્રેશન પ્રક્રિયાની સરળતા એરોમેટિક વલયની ઈલેક્ટ્રોન ઘનતા પર આધાર રાખે છે. નાઈટ્રેશન એ ઈલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા છે,જેમાં ઈલેક્ટ્રોન અનુરાગી નાઈટ્રોનિયમ આયન $(NO_2^+)$ ઈલેક્ટ્રોન-સમૃદ્ધ વલય પર હુમલો કરે છે.
$1$. ટોલ્યુઈનમાં રહેલ $CH_3$ સમૂહ ઈલેક્ટ્રોન દાતા સમૂહ છે ($+I$ અસર અને હાઈપરકોન્જુગેશન),જે બેન્ઝીન વલયની ઈલેક્ટ્રોન ઘનતા વધારે છે,જેથી તે બેન્ઝીન કરતા ઈલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન માટે વધુ સક્રિય બને છે.
$2$. $m$-ડાયનાઈટ્રોબેન્ઝીનમાં રહેલ $NO_2$ સમૂહ પ્રબળ ઈલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે ($-I$ અને $-M$ અસરો),જે બેન્ઝીન વલયની ઈલેક્ટ્રોન ઘનતામાં નોંધપાત્ર ઘટાડો કરે છે,જેથી તે સૌથી ઓછું સક્રિય બને છે.
$3$. બેન્ઝીનની સક્રિયતા મધ્યમ હોય છે.
તેથી,ટોલ્યુઈન સૌથી સરળતાથી નાઈટ્રેશન પ્રક્રિયા આપે છે. નાઈટ્રેશન પ્રત્યે સક્રિયતાનો વધતો ક્રમ આ મુજબ છે: $m$-ડાયનાઈટ્રોબેન્ઝીન < બેન્ઝીન < ટોલ્યુઈન.