(N/A) બે ગોલીય અરીસાઓ છે: $(i)$ અંતર્ગોળ અરીસો અને $(ii)$ બહિર્ગોળ અરીસો.
$(i)$ અંતર્ગોળ અરીસો: જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વળેલી હોય,એટલે કે ગોળાના કેન્દ્ર તરફ હોય,તેને અંતર્ગોળ અરીસો કહેવાય છે.
$(ii)$ બહિર્ગોળ અરીસો: જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ વળેલી હોય,તેને બહિર્ગોળ અરીસો કહેવાય છે.
તફાવતના મુદ્દા:
$(1)$ અંતર્ગોળ અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વળેલી હોય છે,જ્યારે બહિર્ગોળ અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ વળેલી હોય છે.
$(2)$ અંતર્ગોળ અરીસો વાસ્તવિક અને આભાસી બંને પ્રકારના પ્રતિબિંબ રચી શકે છે,જ્યારે બહિર્ગોળ અરીસો હંમેશા આભાસી અને ચત્તું પ્રતિબિંબ જ રચે છે.
$(3)$ અંતર્ગોળ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ વસ્તુના કદ કરતાં મોટું,નાનું કે સમાન કદનું હોઈ શકે છે. બહિર્ગોળ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ હંમેશા વસ્તુના કદ કરતાં નાનું હોય છે.