સ્થળાંતરણ દ્વારા પસંદગીની તકો વધે છે અથવા ધૂંધળી થાય છે. સમજાવો.
જ્યારે વસ્તીના કોઈ પણ ભાગનું અન્ય ભાગની વસ્તીમાં સ્થળાંતરણ થાય છે ત્યારે મૂળભૂત અને નવી વસ્તીની જમીનઆવૃત્તિ ફેરફાર પામે છે. નવા જનીનો / વૈકલ્પિક કારકો નવી વસ્તીમાં ઉમેરાય છે અને જૂની વસ્તીમાંથી તે દૂર થાય છે. જો જનીન સ્થળાંતરણ વારંવાર થતું હોય તો તે જનીનપ્રવાહ છે.
આ સમાન ફેરફારો જો તક દ્વારા પ્રાપ્ત થતા હોય તો તેને જનીનિક વિચલન કહે છે. કેટલીક વાર નવી વસ્તીનાં વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ખૂબ જ મોટા ફેરફારો હોય તો તે ભિન્ન જાતિ તરીકે વિકસે છે. મૂળભૂત વિચલિત (drifted) વસ્તી સ્થાપક બને છે
વસ્તીમાં કુલ જનીનો અને તેના વૈકલ્પિક કારકોને સંયુકત રીતે શું કહે છે?
હાર્ડી-વેઈનબર્ગ સિદ્ધાંત પ્રમાણે શું સ્થિર રહે છે અને પેઢી દર પેઢી જળવાઈ રહે છે?
જો જનીનનું સ્થળાંતર વધારે વાર થાય તો તે દોરે છે.
માપવામાં આવતી આવૃતિ અપેક્ષિત મુલ્યથી ભિન્ન હોય, તો તે શું દર્શાવે છે?
વસતિઓમાં કારકની આવૃત્તિ પર અસર કરતાં કોઈ પણ ત્રણ પરિબળો જણાવો અને સમજાવો.