જો કોઈ વ્યક્તિ વૃદ્ધિ નિયામકોનો ઉપયોગ કરી શા માટે અસંયોગીજનન પ્રેરિત કરે છે -તો આ પ્રેરિત અસંયોગીજનન માટે તમે કયું ફળ પસંદ કરશો? શા માટે?
અસંયોગી બીજ અનેક રીતે સર્જી શકાય છે. ઘણી જાતિઓમાં, અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય છે અને ફલન વગર ભ્રૂણમાં વિકાસ પામે છે. ઘણું ખરું લીંબુ અને કેરીની ઘણી જાતો જેવી વનસ્પતિઓમાં ભ્રૂણપુટની આસપાસના પ્રદેહના કેટલાક કોષો વિભાજન પામી, ભ્રૂણપુટમાં ઊપસી આવે છે અને ભ્રૂણમાં પરિણમે છે. આવી જાતિઓમાં દરેક અંડક ઘણા ભ્રૂણ ધરાવે છે. એક બીજમાં એક કરતાં વધુ ભ્રૂણની હાજરી બહુભ્રૂણતા (polyembryony) તરીકે ઓળખાય છે. નારંગીનાં બીજ કાઢો અને તેમને દબાવો (squeeze). દરેક બીજમાં વિવિધ કદ અને આકાર ધરાવતાં ઘણા ભ્રૂણ જોવા મળે છે. દરેક બીજમાં આવેલ ભ્રૂણની ગણતરી કરો.
આપણા ખોરાક અને શાકભાજીની કેટલીક સંકર જાત (hybrid variety) વિશિષ્ટ રીતે ઉગાડવામાં આવે છે. સંકર જાતથી ઉત્પાદકતા ઘણી ઊંચી જાય છે
વૈજ્ઞાનિક કારણો આપો : હાઇબ્રિડ જાતોને અસંયોગી જાતોમાં રૂપાંતર કરવામાં આવે તો ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે.
કઈ વનસ્પતિની ઘણી જાતોમાં બહુભ્રૂણતા જોવા મળે છે?
અસંયોગીજનન દ્વારા ઉત્પન્ન થયેલ બીજ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
જ્યારે બીજાણુજનકના વાનસ્પતિક કોષો ભ્રૂણમાં નિર્માણ પામે, ત્યારે તેને ..... કહેવાય છે.
એપોમીક્ટિક (અસંગત જનીનિક) ભ્રૂણપુટ દ્વિકીય ભ્રૂણને ઉત્પન્ન કરશો ? જો હા હોય તો તે કેવી રીતે ?