(N/A) પદાર્થની અવરોધકતા તેના તાપમાન પર આધાર રાખે છે. જુદા જુદા પદાર્થો તાપમાન પર અલગ-અલગ રીતે આધાર રાખે છે.
ધાતુઓ માટે,તાપમાન વધવાની સાથે અવરોધકતા વધે છે.
અર્ધવાહકો માટે,તાપમાન વધવાની સાથે અવરોધકતા ઘટે છે.
તાપમાનના મર્યાદિત ગાળા માટે જે બહુ મોટો ન હોય,ધાતુના વાહકની અવરોધકતા અંદાજે નીચે મુજબના પ્રાયોગિક સૂત્ર દ્વારા આપવામાં આવે છે:
$\rho_{T} = \rho_{0} [1 + \alpha (T - T_{0})]$
જ્યાં:
$\rho_{T} =$ તાપમાન $T$ પર અવરોધકતા
$\rho_{0} =$ સંદર્ભ તાપમાન $T_{0}$ પર અવરોધકતા
$\alpha =$ અવરોધકતાનો તાપમાન ગુણાંક
$\alpha$ નો એકમ $(^{\circ}C)^{-1}$ અથવા $(K)^{-1}$ છે.
ધાતુઓ માટે $\alpha$ નું મૂલ્ય ધન હોય છે,જ્યારે અર્ધવાહકો માટે $\alpha$ ઋણ હોય છે.