(N/A) વાતાવરણીય વક્રીભવન પૃથ્વીના વાતાવરણના વક્રીભવનાંકમાં થતા ક્રમિક ફેરફારને કારણે થાય છે. જ્યારે તારામાંથી આવતો પ્રકાશ વાતાવરણમાં પ્રવેશે છે,ત્યારે તે વિવિધ ઘનતા અને તાપમાન ધરાવતા સ્તરોમાંથી પસાર થતી વખતે સતત વક્રીભવન પામે છે. આના કારણે તારાનું આભાસી સ્થાન બદલાતું રહે છે અને તેની તેજસ્વીતામાં ફેરફાર થાય છે,જેને આપણે ટમટમવું કહીએ છીએ.
ગ્રહો ટમટમતા નથી કારણ કે તેઓ તારાઓની સરખામણીમાં પૃથ્વીની ખૂબ નજીક છે. તેઓ બિંદુવત ઉદગમોને બદલે પ્રકાશના વિસ્તૃત ઉદગમો તરીકે દેખાય છે. એક ગ્રહને ઘણા બધા બિંદુવત પ્રકાશના ઉદગમોના સમૂહ તરીકે ગણી શકાય. આ તમામ વ્યક્તિગત બિંદુવત ઉદગમોમાંથી આપણી આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થામાં થતો કુલ ફેરફાર સરેરાશ શૂન્ય થઈ જાય છે,જેનાથી ટમટમવાની અસર નાબૂદ થાય છે.