(N/A) જૈવવિવિધતા જીવાવરણ અને તેના નિવસનતંત્રની સ્થિરતા જાળવવામાં નીચે મુજબની મુખ્ય પ્રક્રિયાઓ દ્વારા મહત્વની ભૂમિકા ભજવે છે:
$1$. આબોહવાનું નિયમન: જૈવવિવિધતા વાતાવરણીય વાયુઓનું સંતુલન જાળવવામાં,વૈશ્વિક તાપમાનનું નિયમન કરવામાં અને દરિયાઈ પ્રવાહો તથા પવનની દિશાઓને પ્રભાવિત કરવામાં મદદ કરે છે,જે આબોહવાની સ્થિરતા માટે અનિવાર્ય છે.
$2$. જલચક્ર: તે વરસાદના નિયમન અને ભૂગર્ભ જળના શુદ્ધિકરણમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
$3$. જમીન સંરક્ષણ: જંગલો અને વિવિધ પ્રકારની વનસ્પતિઓ જમીનનું ધોવાણ અટકાવે છે અને જમીનની ફળદ્રુપતા જાળવી રાખે છે.
$4$. નિવસનતંત્રની સેવાઓ: વનસ્પતિઓ હવા અને પાણીના શુદ્ધિકરણમાં ફાળો આપે છે,જે તમામ જીવંત સજીવો માટે આવશ્યક સંસાધનો પૂરા પાડે છે.
આમ,જૈવવિવિધતા એ જીવાવરણ અને તેના નિવસનતંત્રના અસ્તિત્વ અને જાળવણી માટે પાયાની જરૂરિયાત છે.