(N/A) $\Rightarrow$ કણાભસૂત્રમાં પ્રોટીન,લિપિડ,કાર્બોદિતોના ચયાપચય માટેના ઉત્સેચકો તેમજ અલ્પ માત્રામાં $RNA$ અને $DNA$ જોવા મળે છે.
$\Rightarrow$ કણાભસૂત્ર મુખ્યત્વે ત્રણ કાર્યો કરે છે:
$(i)$ $ATP$ સ્વરૂપે કોષીય ઉર્જા ઉત્પન્ન કરે છે અને જરૂરિયાત મુજબ મુક્ત કરે છે.
$(ii)$ $ATP$ ઉર્જાનો સંગ્રહ,રૂપાંતરણ અને સ્થળાંતર કરે છે.
$(iii)$ કોષરસપટલ દ્વારા થતા પદાર્થોના સક્રિય વહનને નિયંત્રિત કરે છે.
$\Rightarrow$ કણાભસૂત્રને નાની જૈવ-રાસાયણિક ફેક્ટરી માનવામાં આવે છે જે ખોરાક,$ADP$ અને ઓક્સિજનમાંથી $ATP$ ઉત્પન્ન કરે છે.
$\Rightarrow$ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન,ગ્લુકોઝના અણુઓનું દહન થાય છે અને $38$ $ATP$ ના અણુઓ પ્રાપ્ત થાય છે.
$\Rightarrow$ કણાભસૂત્રના આધારકમાં ક્રેબ્સ ચક્ર માટે જરૂરી ઉત્સેચકો આવેલા હોય છે,જ્યાં $ATP$ નું સંશ્લેષણ થાય છે.
$\Rightarrow$ તેથી,કણાભસૂત્રને કોષનું શક્તિઘર કહેવામાં આવે છે.