(N/A) ફ્રુન્ડલિચે $1909$ માં ઘન અધિશોષકના એકમ દળ દ્વારા અધિશોષિત વાયુના જથ્થા અને ચોક્કસ તાપમાને દબાણ વચ્ચેનો પ્રાયોગિક સંબંધ આપ્યો હતો. આ સંબંધને નીચેના સમીકરણ દ્વારા દર્શાવી શકાય છે:
$\frac{x}{m} = k \cdot p^{\frac{1}{n}} (n > 1)$
જ્યાં $x$ એ $p$ દબાણે $m$ દળના અધિશોષક પર અધિશોષિત વાયુનું દળ છે,અને $k$ તથા $n$ એ અચળાંકો છે જે ચોક્કસ તાપમાને અધિશોષક અને વાયુની પ્રકૃતિ પર આધાર રાખે છે.
આ સંબંધ સામાન્ય રીતે એક વક્રના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે જ્યાં અધિશોષકના પ્રતિ ગ્રામ દીઠ અધિશોષિત વાયુના દળને દબાણની વિરુદ્ધ આલેખવામાં આવે છે. આ વક્રો સૂચવે છે કે નિશ્ચિત દબાણે,તાપમાનમાં વધારો થવાથી ભૌતિક અધિશોષણમાં ઘટાડો થાય છે. આ વક્રો હંમેશા ઊંચા દબાણે સંતૃપ્તિ તરફ જતા જણાય છે.
સમીકરણનો લઘુગણક લેતા:
$\log \frac{x}{m} = \log k + \frac{1}{n} \log p$