(N/A) અધ્રુવીભૂત પ્રકાશમાંથી સમતલ ધ્રુવીભૂત પ્રકાશ મેળવવાની ઘટનાને ધ્રુવીભવન કહે છે.
જે શીટ દ્વારા અધ્રુવીભૂત પ્રકાશમાંથી ધ્રુવીભૂત પ્રકાશ મેળવી શકાય છે તેને પોલેરોઇડ કહે છે.
ઉદાહરણ તરીકે: પાતળી પ્લાસ્ટિક શીટ અને ટુરમેલિન પ્લેટ.
પોલેરોઇડ લાંબી શૃંખલા ધરાવતા અણુઓનું બનેલું હોય છે જે એક ચોક્કસ દિશામાં ગોઠવાયેલા હોય છે.
ગોઠવાયેલા અણુઓની દિશામાં રહેલા વિદ્યુત સદિશો શોષાઈ જાય છે અને લંબ દિશામાં ગોઠવાયેલા અણુઓમાંથી પ્રકાશ પસાર થાય છે,આ દિશાને પોલેરોઇડની પારગમન અક્ષ (pass axis) કહે છે. તે પારગમન અક્ષને સમાંતર પ્રકાશ સદિશોના ઘટકોને પસાર થવા દે છે અને લંબ ઘટકો શોષાઈ જાય છે. તેથી તેમાંથી બહાર આવતા તરંગો રેખીય રીતે સમતલ ધ્રુવીભૂત હોય છે.
જો સામાન્ય સ્ત્રોતમાંથી આવતો પ્રકાશ $P_{1}$ પોલેરોઇડ શીટમાંથી પસાર થાય,તો તેની તીવ્રતા અડધી થઈ જાય છે. $P_{1}$ ને ફેરવવાથી પારગમિત કિરણપુંજ પર કોઈ અસર થતી નથી અને પારગમિત તીવ્રતા અચળ રહે છે.
હવે,$P_{1}$ ની આગળ $P_{2}$ નામનો સમાન પોલેરોઇડનો ટુકડો મૂકવામાં આવે અને $P_{1}$ ને ફેરવવામાં આવે,તો $P_{1}$ માંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા ઘટે છે.
જ્યારે $P_{2}$ અને $P_{1}$ સમાંતર હોય,ત્યારે $P_{2}$ માંથી પસાર થતા પ્રકાશ સદિશો $P_{1}$ માંથી પણ પસાર થાય છે,તેથી પ્રકાશની તીવ્રતા મહત્તમ હોય છે.
જ્યારે $P_{2}$ શીટને સમાન સ્થિતિમાં રાખીને $P_{1}$ શીટને $90^{\circ}$ જેટલું પરિભ્રમણ આપવામાં આવે,ત્યારે $P_{1}$ માંથી મળતી તીવ્રતા શૂન્ય થઈ જાય છે. આ આકૃતિમાં દર્શાવેલ છે.