(N/A) કેટલાક પ્રાણીઓ પણ પરાગનયન માટે જવાબદાર છે.
મધમાખીઓ,પતંગિયાં,માખીઓ,ભમરા,ભમરી,કીડીઓ,ફૂદાં,પક્ષીઓ (સનબર્ડ્સ અને હમિંગબર્ડ્સ) અને ચામાચીડિયા સામાન્ય પરાગવાહકો છે.
પ્રાણીઓમાં,કીટકો,ખાસ કરીને મધમાખીઓ,મુખ્ય જૈવિક પરાગવાહકો છે. કેટલાક કિસ્સાઓમાં મોટા પ્રાણીઓ જેવા કે પ્રાઈમેટ્સ (લીમર),વૃક્ષવાસી ઉંદરો,અથવા તો સરીસૃપો (ગરોળી) પણ પરાગવાહક તરીકે નોંધાયા છે.
ઘણીવાર પ્રાણીઓ દ્વારા પરાગિત વનસ્પતિઓના પુષ્પો ચોક્કસ પ્રાણીની જાતિ માટે અનુકૂલિત હોય છે.
કીટકો દ્વારા પરાગિત મોટાભાગના પુષ્પો મોટા,રંગીન,સુગંધિત અને મધુરસથી ભરપૂર હોય છે.
જ્યારે પુષ્પો નાના હોય છે,ત્યારે ઘણા પુષ્પો પુષ્પવિન્યાસમાં એકત્રિત થાય છે જેથી તે આકર્ષક લાગે. પ્રાણીઓ રંગ અને/અથવા સુગંધ દ્વારા પુષ્પો તરફ આકર્ષાય છે.
માખીઓ અને ભમરા દ્વારા પરાગિત પુષ્પો આ પ્રાણીઓને આકર્ષવા માટે દુર્ગંધ પેદા કરે છે.
પ્રાણીઓની મુલાકાત જાળવી રાખવા માટે,પુષ્પોએ પ્રાણીઓને પુરસ્કાર આપવા પડે છે. મધુરસ અને પરાગરજ એ પ્રાણીઓ માટે સામાન્ય પુષ્પીય પુરસ્કારો છે. પુષ્પમાંથી પુરસ્કાર મેળવવા માટે,મુલાકાતી પ્રાણી પરાગાશય અને પરાગાસન સાથે સંપર્કમાં આવે છે. પ્રાણીના શરીર પર પરાગરજનું પડ જામી જાય છે.
પ્રાણીઓ દ્વારા પરાગિત પુષ્પોની પરાગરજ સામાન્ય રીતે ચીકણી હોય છે. જ્યારે પરાગરજ ધરાવતું પ્રાણી પરાગાસનના સંપર્કમાં આવે છે,ત્યારે તે પરાગનયન પૂર્ણ કરે છે.