(N/A) વાસ્તવિક વાયુઓનું પ્રવાહીકરણ: તમામ વાસ્તવિક વાયુઓ,અચળ તાપમાને દબાણ (isothermal compression) આપતા,$CO_2$ જેવું વર્તન દર્શાવે છે. વાયુને પ્રવાહીમાં ફેરવવા માટે તેને તેના ક્રાંતિક તાપમાન $(T_c)$ થી નીચે ઠંડુ કરવું જરૂરી છે. ક્રાંતિક તાપમાન એ મહત્તમ તાપમાન છે કે જેના પર વાયુને માત્ર દબાણ દ્વારા પ્રવાહીમાં ફેરવી શકાય છે.
કાયમી વાયુઓનું પ્રવાહીકરણ: કાયમી વાયુઓ (જે વાયુઓ સંકોચનીયતા અવયવ $Z$ માં સતત ધન વિચલન દર્શાવે છે) માટે નોંધપાત્ર ઠંડક અને ઉચ્ચ દબાણ બંનેની જરૂર પડે છે. દબાણ અણુઓને નજીક લાવે છે,જ્યારે ઠંડક તેમની ગતિ ઊર્જા ઘટાડે છે. પરિણામે,આંતરઆણ્વીય આકર્ષણ બળો અણુઓને એકસાથે પકડી રાખવા માટે પૂરતા મજબૂત બને છે,જેનાથી વાયુનું પ્રવાહીકરણ થાય છે.