(N/A) $\Rightarrow$ સમભાજન અથવા સમસૂત્રી ભાજન સામાન્ય રીતે માત્ર દ્વિકીય (diploid) કોષો પૂરતું મર્યાદિત હોય છે. જોકે,કેટલીક નિમ્ન કક્ષાની વનસ્પતિઓ અને સામાજિક કીટકોમાં એકકીય (haploid) કોષો પણ સમભાજન દ્વારા વિભાજન પામે છે.
$\Rightarrow$ સમભાજનના પરિણામે સમાન જનીનિક બંધારણ ધરાવતા દ્વિકીય બાળ કોષોનું નિર્માણ થાય છે.
$\Rightarrow$ બહુકોષીય સજીવોની વૃદ્ધિ મુખ્યત્વે સમભાજનને કારણે થાય છે.
$\Rightarrow$ કોષની વૃદ્ધિ કોષકેન્દ્ર અને કોષરસ વચ્ચેના ગુણોત્તરને ખલેલ પહોંચાડે છે. તેથી,કોષકેન્દ્ર-કોષરસ ગુણોત્તરને પુનઃસ્થાપિત કરવા માટે કોષનું વિભાજન થવું આવશ્યક છે.
$\Rightarrow$ સમભાજનનું એક ખૂબ જ મહત્વનું યોગદાન કોષનું સમારકામ છે. અધિસ્તરના ઉપરના સ્તરના કોષો,આંતરડાના અસ્તરના કોષો અને રુધિર કોષો સતત આ પ્રક્રિયા દ્વારા બદલાતા રહે છે.
$\Rightarrow$ વર્ધનશીલ પેશીઓમાં (meristematic tissues) થતું સમભાજન,જેમ કે અગ્રીય અને પાર્શ્વ એધા (lateral cambium),વનસ્પતિના સમગ્ર જીવનકાળ દરમિયાન સતત વૃદ્ધિમાં પરિણમે છે.