(N/A) જોડાયેલા (ligated) $DNA$ ને યજમાન કોષોમાં દાખલ કરવા માટે ઘણી પદ્ધતિઓ છે. યજમાન કોષોને સક્ષમ (competent) બનાવ્યા પછી,તેઓ તેમની આસપાસના વાતાવરણમાં રહેલા $DNA$ ને ગ્રહણ કરી શકે છે.
જો એન્ટિબાયોટિક પ્રતિરોધક જનીન (દા.ત. એમ્પિસિલિન પ્રતિરોધક) ધરાવતું પુનઃસંયોજિત $DNA$ ને $E. coli$ કોષોમાં સ્થાનાંતરિત કરવામાં આવે,તો યજમાન કોષો એમ્પિસિલિન પ્રતિરોધક કોષોમાં રૂપાંતરિત થાય છે.
જ્યારે આપણે આ રૂપાંતરિત કોષોને એમ્પિસિલિન ધરાવતી અગર પ્લેટ પર ફેલાવીએ છીએ,ત્યારે ફક્ત રૂપાંતરિત કોષો જ વૃદ્ધિ પામશે,જ્યારે અરૂપાંતરિત કોષો મૃત્યુ પામશે.
એમ્પિસિલિન પ્રતિરોધક જનીનને કારણે,એમ્પિસિલિનની હાજરીમાં રૂપાંતરિત કોષોને પસંદ કરી શકાય છે. આ કિસ્સામાં એમ્પિસિલિન પ્રતિરોધક જનીનને પસંદગીમાન રેખક (selectable marker) કહેવામાં આવે છે.