(N/A) આકૃતિમાં દર્શાવ્યા મુજબ $R$ ત્રિજ્યાનો એક ધાત્વિય નળાકાર ધ્યાનમાં લો.
આપણે બે પાતળી વર્તુળાકાર ડિસ્ક ધ્યાનમાં લઈએ છીએ જેના પર $+Q$ અને $-Q$ વિદ્યુતભાર વિતરિત થયેલ છે. જો આપણે આ બે ડિસ્કને નળાકારની બે સપાટ સપાટીઓ પર લગાવીએ,તો એક વિદ્યુતક્ષેત્ર $E$ સ્થાપિત થાય છે અને ધનથી ઋણ વિદ્યુતભાર તરફ જતો પ્રવાહ ઉત્પન્ન થાય છે.
નળાકારમાં આ વિદ્યુતક્ષેત્રને કારણે,ઇલેક્ટ્રોન $+Q$ વિદ્યુતભાર તરફ પ્રવેગિત થશે.
આ ઇલેક્ટ્રોન જ્યાં સુધી ગતિમાં છે ત્યાં સુધી વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરશે. આ સ્થિતિમાં,પ્રવાહ ખૂબ જ ટૂંકા સમય માટે રચાશે અને ત્યારબાદ વિદ્યુતભારો તટસ્થ થઈ જવાથી અટકી જશે.
જો આપણે સેલ અથવા બેટરી જેવી કોઈ પદ્ધતિનો વિચાર કરીએ,જેમાં તટસ્થ થતા $+Q$ વિદ્યુતભારના જથ્થાને બીજા છેડે સમાન $-Q$ વિદ્યુતભાર દ્વારા સતત ફરીથી ભરવામાં આવે,તો સતત વિદ્યુત પ્રવાહ જાળવી શકાય છે.