(N/A) લાયોફિલિક સોલનું સ્કંદન: લાયોફિલિક સોલની સ્થિરતા માટે બે પરિબળો જવાબદાર છે: કલિલ કણો પરનો વીજભાર અને તેમનું દ્રાવકયોજન (solvation). જ્યારે આ બે પરિબળો દૂર કરવામાં આવે ત્યારે લાયોફિલિક સોલનું સ્કંદન થઈ શકે છે. આ પ્રક્રિયા નીચે મુજબ થાય છે:
$(i)$ વિદ્યુતવિભાજ્ય ઉમેરીને.
$(ii)$ યોગ્ય દ્રાવક ઉમેરીને.
જ્યારે આલ્કોહોલ કે એસિટોન જેવા દ્રાવકો હાઇડ્રોફિલિક સોલમાં ઉમેરવામાં આવે છે,ત્યારે વિક્ષિપ્ત કલાનું નિર્જલીકરણ (dehydration) થાય છે. આ સ્થિતિમાં,થોડી માત્રામાં વિદ્યુતવિભાજ્ય ઉમેરવાથી સ્કંદન થઈ શકે છે.
કલિલનું રક્ષણ: લાયોફિલિક સોલ એ લાયોફોબિક સોલ કરતા વધુ સ્થિર હોય છે કારણ કે લાયોફિલિક કલિલનું વ્યાપકપણે દ્રાવકયોજન થયેલું હોય છે; એટલે કે,કલિલ કણો જે પ્રવાહીમાં વિક્ષિપ્ત હોય છે તેની એક કવચ (sheath) દ્વારા ઘેરાયેલા હોય છે.
લાયોફિલિક કલિલ લાયોફોબિક કલિલને સુરક્ષિત કરવાની વિશિષ્ટ ક્ષમતા ધરાવે છે. જ્યારે લાયોફિલિક સોલને લાયોફોબિક સોલમાં ઉમેરવામાં આવે છે,ત્યારે લાયોફિલિક કણો લાયોફોબિક કણોની આસપાસ એક સ્તર બનાવે છે અને આમ તેમને વિદ્યુતવિભાજ્યથી સુરક્ષિત કરે છે. આ હેતુ માટે વપરાતા લાયોફિલિક કલિલને રક્ષણાત્મક કલિલ (protective colloids) કહેવામાં આવે છે.