નિર્બળ વિદ્યુતવિભાજ્યના $pH$ ની ગણતરી કરવા માટેનો સામાન્ય તબક્કાવાર અભિગમ સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) તબક્કો-$1$: વિયોજન પહેલાં હાજર રહેલી સ્પીસીઝને બ્રોન્સ્ટેડ-લોરી એસિડ/બેઇઝ તરીકે ઓળખો.
તબક્કો-$2$: તમામ સંભવિત પ્રતિક્રિયાઓ માટે સંતુલિત સમીકરણો લખો,જેમાં સ્પીસીઝ એસિડ અને બેઇઝ બંને તરીકે કાર્ય કરતી હોય.
તબક્કો-$3$: જે પ્રતિક્રિયાનો $K_{a}$ (અથવા $K_{b}$) વધારે હોય તેને મુખ્ય પ્રતિક્રિયા તરીકે ઓળખો,જ્યારે અન્ય ગૌણ પ્રતિક્રિયાઓ છે.
તબક્કો-$4$: મુખ્ય પ્રતિક્રિયા માટે નીચે મુજબના મૂલ્યોનું કોષ્ટક બનાવો: $(i)$ પ્રારંભિક સાંદ્રતા $c$,$(ii)$ સંતુલન સમયે સાંદ્રતામાં થતો ફેરફાર $\alpha$ (આયનીકરણની માત્રા) ના સંદર્ભમાં,$(iii)$ સંતુલન સાંદ્રતા.
તબક્કો-$5$: સંતુલન સાંદ્રતાને મુખ્ય પ્રતિક્રિયાના સંતુલન અચળાંકના સમીકરણમાં મૂકો અને $\alpha$ માટે ઉકેલો.
તબક્કો-$6$: મુખ્ય પ્રતિક્રિયામાં સંબંધિત સ્પીસીઝની સાંદ્રતા ($[H_{3}O^{+}]$ અથવા $[OH^{-}]$) ની ગણતરી કરો.
તબક્કો-$7$: $pH = -\log [H_{3}O^{+}]$ સૂત્રનો ઉપયોગ કરીને $pH$ ની ગણતરી કરો.

Explore More

Similar Questions

$0.1 \ M$ સાંદ્રતા ધરાવતો એક નિર્બળ મોનોપ્રોટિક એસિડ દ્રાવણમાં $1\%$ આયનીકરણ પામે છે. તો દ્રાવણનો $pH$ કેટલો થશે?

$20 \, mL$ $0.4 \, M$ $HA$ દ્રાવણમાં $80 \, mL$ પાણી ઉમેરવામાં આવે છે. કદ ઉમેરી શકાય તેવું ધારીને,અંતિમ દ્રાવણનો $pH$ કેટલો થશે? ($HA$ નો $K_a = 4 \times 10^{-7}, \log 2 = 0.3$)

Difficult
View Solution

$298 \ K$ તાપમાને,એસિટિક એસિડનું $0.1 \ M$ દ્રાવણ $1.34 \ \%$ આયનીકૃત થાય છે. એસિટિક એસિડનો વિયોજન અચળાંક કેટલો છે?

$0.001 \,M$ એનિલિન દ્રાવણનો $pH$ કેટલો છે? એનિલિનનો આયનીકરણ અચળાંક કોષ્ટકમાંથી લઈ શકાય છે. દ્રાવણમાં એનિલિનના આયનીકરણની માત્રા ગણો. એનિલિનના સંયુગ્મી એસિડનો આયનીકરણ અચળાંક પણ ગણો.
બેઇઝ $K_{b}$
ડાયમિથાઈલએમાઈન,$(CH_{3})_{2}NH$ $5.4 \times 10^{-4}$
ટ્રાયઈથાઈલએમાઈન,$(C_{2}H_{5})_{3}N$ $6.45 \times 10^{-5}$
એમોનિયા,$NH_{3}$ $1.77 \times 10^{-5}$
ક્વિનાઈન $1.10 \times 10^{-6}$
પિરિડિન,$C_{5}H_{5}N$ $1.77 \times 10^{-9}$
એનિલિન,$C_{6}H_{5}NH_{2}$ $4.27 \times 10^{-10}$
યુરિયા,$CO(NH_{2})_{2}$ $1.3 \times 10^{-14}$

એસિટિક એસિડનો આયનીકરણ અચળાંક $1.74 \times 10^{-5}$ છે. તેના $0.05 \ M$ દ્રાવણમાં એસિટિક એસિડના વિયોજનની માત્રા ગણો. દ્રાવણમાં એસીટેટ આયનની સાંદ્રતા અને તેનો $pH$ ગણો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo