(N/A) રિડક્શન પ્રક્રિયાઓ કેથોડની સપાટી પર થાય છે. જો કેથોડની નજીક એક કરતા વધુ સ્પીસીઝ હાજર હોય,તો જે સ્પીસીઝનું $E^{\theta}$ મૂલ્ય ઊંચું હોય તે રિડક્શન પ્રક્રિયા આપે છે.
ઉદાહરણ તરીકે,જો આપણે જલીય $NaCl$ દ્રાવણ લઈએ,તો કેથોડની નજીક $NaCl$ ના $Na^{+}$ આયનો અને $H_{2}O$ ના $H^{+}$ આયનો ઉપલબ્ધ હોય છે.
$NaCl_{(aq)} \rightarrow Na^{+}_{(aq)} + Cl^{-}_{(aq)}$
$H_{2}O_{(l)} \rightleftharpoons H^{+}_{(aq)} + OH^{-}_{(aq)}$
$(i) Na^{+}_{(aq)} + e^{-} \rightarrow Na_{(s)} \quad E^{\theta} = -2.71 \ V$
$(ii) H^{+}_{(aq)} + e^{-} \rightarrow \frac{1}{2} H_{2(g)} \quad E^{\theta} = 0.00 \ V$
આમ,પ્રક્રિયા $(i)$ અને $(ii)$ બંને શક્ય છે. જે પ્રક્રિયાનું $E^{\theta}$ મૂલ્ય વધુ હોય તે પ્રક્રિયા થાય છે. તેથી,કેથોડની નજીક પ્રક્રિયા $(ii)$ થાય છે. પરિણામે,પાણીના $H^{+}$ આયનો રિડક્શન પામે છે અને $H_{2}$ વાયુ ઉત્પન્ન કરે છે. જલીય $NaCl$ ના વિદ્યુતવિભાજન દરમિયાન કેથોડની નજીક $H_{2}$ વાયુ મળે છે અને દ્રાવણમાં $NaOH$ બને છે.
$(iii) H_{2}O_{(l)} + e^{-} \rightarrow \frac{1}{2} H_{2(g)} + OH^{-}_{(aq)}$
$Na^{+}$ આયનો પ્રેક્ષક આયનો તરીકે રહે છે. કેથોડની નજીક ફિનોલ્ફથેલીન ઉમેરતા મળતો ગુલાબી રંગ $NaOH$ ની હાજરીની પુષ્ટિ કરે છે.