(N/A) $100\%$ આયનીય અથવા સહસંયોજક બંધનું અસ્તિત્વ એક આદર્શ પરિસ્થિતિ દર્શાવે છે. વાસ્તવમાં,કોઈ પણ બંધ કે સંયોજન સંપૂર્ણપણે સહસંયોજક કે આયનીય હોતું નથી. બે હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચેના સહસંયોજક બંધમાં પણ થોડો આયનીય ગુણધર્મ હોય છે.
અધ્રુવીય સહસંયોજક બંધ: જ્યારે બે સમાન પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધ રચાય છે,ત્યારે ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુઓ દ્વારા સમાન રીતે આકર્ષાય છે. પરિણામે,ઇલેક્ટ્રોન યુગ્મ બે સમાન ન્યુક્લિયસની બરાબર વચ્ચે સ્થિત હોય છે. આ રીતે બનેલા બંધને અધ્રુવીય સહસંયોજક બંધ કહેવામાં આવે છે.
ઉદાહરણ: $H_2, N_2, O_2, F_2, Cl_2$ માં અધ્રુવીય સહસંયોજક બંધ.
ધ્રુવીય સહસંયોજક બંધ: જ્યારે બે અલગ-અલગ તત્વોના પરમાણુઓ (વિષમકેન્દ્રીય) સહસંયોજક બંધ દ્વારા જોડાય છે,ત્યારે બંધમાં રહેલું ઇલેક્ટ્રોન યુગ્મ વધુ વિદ્યુતઋણતા ધરાવતા પરમાણુ તરફ વધુ આકર્ષાય છે. પરિણામે,તે પરમાણુ પર આંશિક ઋણ વીજભાર $(-\delta)$ અને બીજા પરમાણુ પર આંશિક ધન વીજભાર $(+\delta)$ આવે છે. આવા સહસંયોજક બંધને ધ્રુવીય સહસંયોજક બંધ કહેવામાં આવે છે.