(N/A) વર્નરના સિદ્ધાંતની મુખ્ય પૂર્વધારણાઓ નીચે મુજબ છે:
$1$. સવર્ગ સંયોજનોમાં,ધાતુઓ બે પ્રકારના બંધ અથવા સંયોજકતા દર્શાવે છે: પ્રાથમિક અને દ્વિતીયક.
$2$. પ્રાથમિક સંયોજકતા સામાન્ય રીતે આયનીય હોય છે અને ઋણ આયનો દ્વારા સંતોષાય છે.
$3$. દ્વિતીયક સંયોજકતા બિન-આયનીય હોય છે.
$4$. દ્વિતીયક સંયોજકતા તટસ્થ અણુઓ અથવા ઋણ આયનો દ્વારા સંતોષાય છે. દ્વિતીયક સંયોજકતા એ સવર્ગ આંક જેટલી હોય છે અને તે ધાતુ માટે નિશ્ચિત હોય છે.
$5$. ધાતુ સાથે દ્વિતીયક બંધ દ્વારા જોડાયેલા આયનો/સમૂહો વિવિધ સવર્ગ આંકને અનુરૂપ લાક્ષણિક અવકાશી ગોઠવણી ધરાવે છે. આવી અવકાશી ગોઠવણીને સવર્ગ બહુફલક કહેવામાં આવે છે.
$6$. સંક્રાંતિ ધાતુઓના સવર્ગ સંયોજનોમાં અષ્ટફલકીય,સમચતુષ્ફલકીય અને સમતલીય ચોરસ ભૌમિતિક આકારો સામાન્ય છે.
ઉદાહરણ તરીકે:
અષ્ટફલકીય સંકીર્ણો: $[Co(NH_3)_6]^{3+}, [CoCl(NH_3)_5]^{2+}, [CoCl_2(NH_3)_4]^{+}$
સમચતુષ્ફલકીય સંકીર્ણ: $[Ni(CO)_4]$
સમતલીય ચોરસ સંકીર્ણ: $[PtCl_4]^{2-}$
ચોરસ કૌંસની અંદરની સ્પીસીઝ એ સવર્ગ સ્પીસીઝ અથવા સંકીર્ણો છે અને ચોરસ કૌંસની બહારના આયનોને પ્રતિ-આયનો કહેવામાં આવે છે.