પ્રત્યાંકન વિશે ટૂંકમાં સમજાવો.
$DNA$ના એક કુંતલ પર રહેલ જનીનિક માહિતીને $RNA$માં નકલ કરવાની પ્રક્રિયાને પ્રત્યાંકન (transcription) કહે છે. અહીં પૂરકતાના સિદ્ધાંત પ્રત્યાંકન પ્રક્રિયાને નિયંત્રિત કરે છે. પણ એડિનોસાઇન એ થાઇમિનના સ્થાને યુરેસીલ સાથે બેઇઝ જોડ બનાવે છે.
સ્વયંજનનમાં કોઈ સજીવનું કુલ $DNA$ બેવડાય છે. પરંતુ પ્રત્યાંકનમાં $DNA$નો ખંડ અને ફક્ત એક જ શુંખલા $RNA$માં પ્રતિઅંકન પામે છે.
$DNA$ની ફક્ત એક જ શૃંખલા $RNA$ સંશ્લેષણ માટે નીચેના કારણસર ટેબ્લેટ તરીકે વર્તે છે. જો બંને શૃંખલા $RNA$ માટેના સંશ્લેષણ માટે ટેબ્લેટ તરીકે કાર્ય કરે તો બે પૂરક $RNA$ અણુ એ બે વિભિન્ન પ્રોટીનનું નિર્માણ થાય. જે તેથી જનીનિક માહિતીની વહનની ક્રિયાવિધિ જટિલ બને.
બીજું એકસાથે બે $RNA$ ઉદ્ભવે જે એકબીજાના પૂરક છે, તેઓ જોડાઈને બેવડા કુંતલમય $RNA$નું નિર્માણ કરે. જે $RNA$ને પ્રોટીનનું ભાષાંતરણ નહિ કરવા દે અને પ્રત્યાંકનનો પ્રયાસ નિષ્ફળ થશે.
તફાવત આપો : આદિકોષકેન્દ્રી અને સુકોષકેન્દ્રીમાં પ્રત્યાંકન
$DNA$ ટેમ્પલેટ ઉપર $RNA$ ની શૃંખલા બનવાની ધટનાને....
આપેલ આકૃતિમાં $Z$ ને ઓળખો.
સુકોષ કેન્દ્રીઓમાં, પ્રત્યાંકન પ્રક્રિયામાં $RNA$ પોલીમરેઝ $III$ નો શું ભાગ છે ?
પ્રત્યાંકન એકમ કેટલા ભાગોનો બનેલો છે ?