(N/A) $\rightarrow$ મગજમાંથી $10$ જોડ મસ્તિષ્ક ચેતાઓ ઉદ્ભવે છે. મગજ એક અસ્થિમય રચનામાં સુરક્ષિત હોય છે જેને મગજ પેટી (ક્રેનિયમ) કહેવાય છે.
$\rightarrow$ મગજને અગ્રમગજ,મધ્યમગજ અને પશ્ચમગજમાં વિભાજિત કરવામાં આવે છે.
$\rightarrow$ અગ્રમગજમાં ઘ્રાણપિંડો (olfactory lobes),જોડમાં રહેલા બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ અને એક અયુગ્મ ડાયેન્સફાલૉનનો સમાવેશ થાય છે.
$\rightarrow$ મધ્યમગજ એક જોડ દ્રષ્ટિપિંડો (optic lobes) દ્વારા લાક્ષણિક રીતે ઓળખાય છે.
$\rightarrow$ પશ્ચમગજ અનુમસ્તિષ્ક (cerebellum) અને લંબમજ્જા (medulla oblongata) નું બનેલું છે.
$\rightarrow$ લંબમજ્જા એ ફોરામેન મેગ્નમ (મહાછિદ્ર) દ્વારા બહાર નીકળીને કરોડરજ્જુમાં પરિણમે છે,જે કરોડસ્તંભમાં સુરક્ષિત હોય છે.