(N/A) રાઈબોન્યુક્લિક એસિડ $(RNA)$ એ સૌપ્રથમ શોધાયેલ આનુવંશિક દ્રવ્ય હતું.
વિવિધ વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા તે સ્પષ્ટ છે કે ચયાપચય,ભાષાંતર (translation) અને સ્પ્લાઈસિંગ જેવી આવશ્યક જીવન પ્રક્રિયાઓ $RNA$ ની આસપાસ વિકસિત થઈ હતી.
$RNA$ આનુવંશિક દ્રવ્ય તેમજ ઉદ્દીપક તરીકે કાર્ય કરતું હતું.
પરંતુ $RNA$ ઉદ્દીપક હોવાને કારણે તે પ્રતિક્રિયાશીલ અને તેથી અસ્થાયી હતું.
તેથી,$DNA$ રાસાયણિક ફેરફારો સાથે $RNA$ માંથી વિકસિત થયું છે જે તેને વધુ સ્થાયી બનાવે છે.
$DNA$ બેવડી શૃંખલા ધરાવતું હોવાથી અને પૂરક શૃંખલા ધરાવતું હોવાથી,તે સમારકામ (repair) ની પ્રક્રિયા વિકસાવીને ફેરફારો સામે પ્રતિકાર કરે છે.
$RNA$ માં નાઈટ્રોજનયુક્ત બેઝ બે પ્રકારના હોય છે:
$(i)$ પ્યુરીન્સ (એડેનાઈન અને ગ્વાનીન)
$(ii)$ પિરિમિડિન્સ (સાયટોસિન અને યુરેસિલ)
રાઈબોઝ શર્કરા $+$ નાઈટ્રોજનયુક્ત બેઝ $\rightarrow$ રાઈબોન્યુક્લિયોસાઈડ
રાઈબોન્યુક્લિયોસાઈડ $+$ ફોસ્ફેટ સમૂહ $\rightarrow$ રાઈબોન્યુક્લિયોટાઈડ.