(N/A) મનુષ્યનું ચેતાતંત્ર મુખ્ય બે ભાગોમાં વહેંચાયેલું છે:
$(i)$ મધ્યસ્થ ચેતાતંત્ર $(CNS)$
$(ii)$ પરિઘવર્તી ચેતાતંત્ર $(PNS)$
$(1)$ $CNS$ માં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે. તે માહિતીના પ્રક્રિયા અને નિયંત્રણનું મુખ્ય કેન્દ્ર છે.
$(2)$ $PNS$ માં શરીરની તમામ ચેતાઓનો સમાવેશ થાય છે જે $CNS$ (મગજ અને કરોડરજ્જુ) સાથે જોડાયેલી હોય છે. $PNS$ ના ચેતાતંતુઓ બે પ્રકારના હોય છે:
$(a)$ અંતર્વાહી (Afferent) ચેતાતંતુઓ: આ તંતુઓ પેશીઓ/અંગોમાંથી આવેલી આવેગોને $CNS$ સુધી પહોંચાડે છે.
$(b)$ બહિર્વાહી (Efferent) ચેતાતંતુઓ: આ તંતુઓ $CNS$ માંથી નિયંત્રિત આવેગોને પેશીઓ/અંગો સુધી પહોંચાડે છે.
$PNS$ ને વધુ બે પેટા વિભાગોમાં વહેંચવામાં આવે છે:
$(i)$ દૈહિક ચેતાતંત્ર: આ તંત્ર $CNS$ માંથી આવેગોને કંકાલ સ્નાયુઓ સુધી પહોંચાડે છે.
$(ii)$ સ્વયંવર્તી ચેતાતંત્ર: આ તંત્ર $CNS$ માંથી આવેગોને અનૈચ્છિક અંગો અને શરીરના લીસા સ્નાયુઓ સુધી પહોંચાડે છે. સ્વયંવર્તી ચેતાતંત્રને વધુ અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્રમાં વર્ગીકૃત કરવામાં આવે છે.
વધુમાં,આંતરઅંગીય ચેતાતંત્ર એ પરિઘવર્તી ચેતાતંત્રનો એક ભાગ છે,જેમાં ચેતાઓ,તંતુઓ,ચેતાકંદો અને ચેતાજાળનો સમાવેશ થાય છે,જેના દ્વારા આવેગો $CNS$ થી આંતરઅંગો સુધી અને આંતરઅંગોથી $CNS$ સુધી વહન પામે છે.