પારજનીનિક પ્રાણીઓ એ શું છે ? તેમનો ઉપયોગ કઈ રીતે થઈ શકે છે ?
$(i)$ સામાન્ય દેહધર્મવિદ્યા અને વિકાસ (Normal Physiology and Development) : વિશિષ્ટરૂપે પારજનીનિક પ્રાણીઓનું નિર્માણ જનીનના નિયંત્રણ અને શરીરના વિકાસ તેમજ સામાન્ય કાર્યો પર થતી અસરો (પ્રભાવો) ના અભ્યાસ માટે કરવામાં આવે છે. ઉદાહરણ : વૃદ્ધિ માટે જવાબદાર જટિલ કારકો જેવા કે ઇન્સ્યુલિન જેવા વૃદ્ધિ કારકનો અભ્યાસ કરવા. બીજી જાતિના જનીનનો પ્રવેશ કરાવ્યા સિવાય ઉપર્યુક્ત કારકોના નિર્માણમાં થતાં પરિવર્તનો દ્વારા પ્રેરાતી જૈવિક અસરોનો અભ્યાસ તથા કારકોની શરીરમાં જૈવિક ભૂમિકા વિશે માહિતી પ્રાપ્ત થાય છે.
$(ii)$ રોગનો અભ્યાસ (Study of Disease) : રોગોના વિકાસમાં જનીનોની ભૂમિકા શું છે તે માટેની આપણી સમજને વધારવા માટે મોટા ભાગનાં પારજનીનિક પ્રાણીઓ વિકસાવવામાં આવ્યાં છે. માનવરોગો માટે એક મોડલ તરીકે તેનો પ્રયોગ કરી શકાય, તે માટે તેને વિશિષ્ટરૂપે બનાવેલ છે. જેથી રોગોની નવી સારવાર માટેનો અભ્યાસ થઈ શકે. વર્તમાન સમયમાં કેન્સર, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સંધિવા વા અને અલ્ઝાઇમર જેવા ઘણા માનવરોગો માટે પારજનીનિક મૉડલ ઉપલબ્ધ છે.
$(iii)$ જૈવિક નીપજો (Biological Products) : કેટલાક માનવરોગોની સારવાર માટે દવાઓની આવશ્યકતા હોય છે કે જે જૈવિક નીપજોની બનેલી હોઈ શકે છે. આવી નીપજોને બનાવવી ખૂબ જ ખર્ચાળ છે. પારજનીનિક પ્રાણીઓ જે ઉપયોગી જૈવિક નીપજોનું નિર્માણ કરે છે તેમાં $DNA$ ના ભાગ (અથવા જનીનો) ને પ્રવેશ કરાવાય છે જે વિશિષ્ટ નીપજોના નિર્માણમાં ભાગ લે છે. ઉદાહરણ : માનવ પ્રોટીન ($\alpha -1-$ એન્ટિટ્રિપ્સિન) નો ઉપયોગ એમ્ફિસેમાની સારવાર માટે થાય છે. એવી જ રીતે ફિનાઇલકિટોન્યુરિયા $(PKU)$ અને સિસ્ટિક ફાઇબ્રોસિસની સારવાર માટે પ્રયાસ કરવામાં આવેલ છે. $1977$ માં પ્રથમ પારજનીનિક ગાય 'Rosie' દ્વારા માનવ પ્રોટીનસભર દૂધ (એક લિટરમાં $2.4\, gm$ ) ઉત્પન્ન કરવામાં આવ્યું. આ દૂધ મનુષ્યનું આલ્ફાલેક્ટામ્બુમિન ધરાવે છે અને તે માનવ- શિશુ માટે ગાયના કુદરતી દૂધ કરતાં વધુ પોષણયુક્ત સમતોલ ઉત્પાદન ગણાય છે.
$(iv)$ રસી-સુરક્ષા (Vaccine safety) : મનુષ્ય પર ઉપયોગ કરતા પહેલાં રસીની સુરક્ષા માટેના પરીક્ષણ કરવા માટે પારજનીનિક ઉંદરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. શરૂઆતમાં પારજનીનિક ઉંદરોનો ઉપયોગ પોલિયો રસીની સુરક્ષાના પરીક્ષણ માટે કરવામાં આવે છે. જો ઉપર્યુક્ત પ્રયોગ સફળ અને વિશ્વસનીય હશે તો રસી-સુરક્ષા તપાસ માટે વાનરના સ્થાને પારજનીનિક ઉંદરોનો ઉપયોગ થઈ શકશે.
$RNAi$ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
ગાંઠ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતો એગ્રોબેક્ટેરીયમ ટ્યુમીફેસીઅને જે મોટા વધારાનાં રંગસૂત્રકીય પ્લાઝમીડમાં આવેલ છે તેને શું કહેવાય છે?
જીવરસ સંયોજનની સૌ પ્રથમ શોધ કોણે કરી?
જનીન પરિવર્તિત વનસ્પતિ …….
જૈવ તકનીકીમાં ઉત્પન્ન કરાયેલી કેન્સર સારવાર માટેની દવાનું નામ-