(N/A) નર જન્યુ અને માદા જન્યુના જોડાણને ફલન કહેવામાં આવે છે.
$(b)$ જ્યારે અંડકોષનું ફલન થતું નથી ત્યારે દર મહિને થતા ચક્રને ઋતુસ્ત્રાવ કહેવામાં આવે છે. તે લગભગ $2$ થી $8$ દિવસ સુધી ચાલે છે અને આ ચક્ર દરમિયાન ગર્ભાશયનું અસ્તર ધીમે ધીમે તૂટી જાય છે અને રુધિર તથા શ્લેષ્મ સ્વરૂપે યોનિમાર્ગ દ્વારા બહાર આવે છે.
$(c)$ કોષનું બે સંતતિ કોષોમાં વિભાજન થવાની પ્રક્રિયા,જે કોઈપણ સમતલમાં થઈ શકે છે,તેને દ્વિભાજન કહેવામાં આવે છે. તે અમીબા $(Amoeba)$ જેવા સજીવોમાં જોવા મળે છે.
$(d)$ જ્યારે વનસ્પતિના વાનસ્પતિક ભાગો જેવા કે મૂળ,પ્રકાંડ કે પર્ણ યોગ્ય પરિસ્થિતિમાં નવી વનસ્પતિમાં વિકાસ પામે છે,ત્યારે તેને વાનસ્પતિક પ્રજનન કહેવામાં આવે છે.
$(e)$ જ્યારે સજીવનું શરીર ઘણા ટુકડાઓમાં કપાઈ જાય અને દરેક ટુકડો સંપૂર્ણ સજીવ તરીકે વિકસે છે,ત્યારે તેને પુનઃજનન કહેવામાં આવે છે. તે હાઈડ્રા $(Hydra)$ અને પ્લેનેરિયા $(Planaria)$ માં જોવા મળે છે.