(N/A) $(1)$ બંનેમાં રચાતી ભાત તરંગોના સંપાતપણાને કારણે હોય છે.
- વ્યતિકરણની ભાત બે સાંકડી સ્લિટમાંથી આવતા બે તરંગોના સંપાતપણાથી મળે છે. વિવર્તનની ભાત એક જ સ્લિટ પરના દરેક બિંદુમાંથી આવતા તરંગોના સતત સમૂહના સંપાતપણાથી મળે છે.
$(2)$ વ્યતિકરણની ભાતમાં સમાન અંતરે રહેલી પ્રકાશિત અને અપ્રકાશિત પટ્ટીઓ હોય છે. વિવર્તનની ભાતમાં મધ્યસ્થ પ્રકાશિત અધિકતમ હોય છે જે અન્ય અધિકતમો કરતા બમણી પહોળાઈ ધરાવે છે. કેન્દ્રથી દૂર જતાં ક્રમિક અધિકતમોની તીવ્રતા ઘટતી જાય છે.
$(3)$ $a$ પહોળાઈની સ્લિટ માટે,વિવર્તન ભાતનું પ્રથમ ક્રમનું ન્યૂનતમ $\theta = \frac{\lambda}{a}$ ખૂણે મળે છે. વ્યતિકરણમાં,$d$ અંતરે રહેલી બે સ્લિટ માટે પ્રથમ ક્રમનું અધિકતમ $\theta = \frac{\lambda}{d}$ ખૂણે મળે છે.
$(4)$ વ્યતિકરણ અને વિવર્તન બંનેમાં પ્રકાશ ઉર્જાનું પુનઃવિતરણ થાય છે. જો એક વિસ્તારમાં ઉર્જા ઘટે અને અપ્રકાશિત શલાકા રચાય,તો બીજા વિસ્તારમાં તે વધે છે અને પ્રકાશિત શલાકા રચાય છે. ઉર્જાનો કોઈ વ્યય કે સર્જન થતું નથી,જે ઉર્જા સંરક્ષણના નિયમ સાથે સુસંગત છે.