બેન્ઝોઈક એસિડ એક કાર્બનિક સંયોજન છે. તેના અશુદ્ધ નમૂનાને ગરમ પાણીમાંથી સ્ફટિકીકરણ દ્વારા શુદ્ધ કરી શકાય છે. બેન્ઝોઈક એસિડ અને અશુદ્ધિના ગુણધર્મોમાં કયા લાક્ષણિક તફાવતો આ શુદ્ધિકરણની પ્રક્રિયાને યોગ્ય બનાવે છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) બેન્ઝોઈક એસિડને નીચેની લાક્ષણિકતાઓને કારણે ગરમ પાણીમાંથી શુદ્ધ કરી શકાય છે:
$(i)$ બેન્ઝોઈક એસિડ ગરમ પાણીમાં વધુ દ્રાવ્ય છે અને ઠંડા પાણીમાં ઓછું દ્રાવ્ય છે.
$(ii)$ બેન્ઝોઈક એસિડ સાથે સંકળાયેલી અશુદ્ધિઓ કાં તો પાણીમાં અદ્રાવ્ય હોય છે અથવા પાણીમાં એટલી હદે વધુ દ્રાવ્ય હોય છે કે જ્યારે બેન્ઝોઈક એસિડનું ગરમ સંતૃપ્ત દ્રાવણ ઠંડું પાડવામાં આવે છે,ત્યારે અશુદ્ધિઓ દ્રાવણમાં જ રહી જાય છે.

Explore More

Similar Questions

ખાલી જગ્યા પૂરો:
$1$. સૂત્રો અને પ્રતિક્રિયાઓમાં,ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર વક્ર તીર (curved arrow) દ્વારા દર્શાવવામાં આવે છે અને એકલ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર .......... દ્વારા દર્શાવવામાં આવે છે.
$2$. વિભાગીય નિસ્યંદન (fractional distillation) ના સ્તંભોમાં .......... કરતા વધુ પ્લેટો હોય છે.
$3$. વિભાગીય નિસ્યંદનનો ઉપયોગ ઉત્કલન બિંદુમાં .......... તફાવત ધરાવતા પ્રવાહીના અલગીકરણ માટે થાય છે અને સાદા નિસ્યંદનનો ઉપયોગ ઉત્કલન બિંદુમાં .......... તફાવત ધરાવતા પ્રવાહીના અલગીકરણ માટે થાય છે.
$4$. પેટ્રોલિયમમાં ક્રૂડ ઓઈલના વિવિધ અંશોને અલગ કરવા માટે .......... તકનીકનો ઉપયોગ કરવામાં આવે છે.

કોલમ-$I$ અને કોલમ-$II$ ને સાચા સંબંધ સાથે જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$(i)$ વિભેદક નિષ્કર્ષણ $(p)$ ઉત્કલન બિંદુમાં મોટો તફાવત
$(ii)$ વરાળ નિસ્યંદન $(q)$ સેપરેટરી ફનલ
$(iii)$ ઓછા દબાણે નિસ્યંદન $(r)$ પેટ્રોલિયમના ઘટકો
$(iv)$ સાદું નિસ્યંદન $(s)$ પ્રવાહી જે ઊંચા તાપમાને વિઘટન પામે છે
$(v)$ વિભાગીય નિસ્યંદન $(t)$ વેક્યુમ પંપ

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: વિભાગીય નિસ્યંદન (fractional distillation) માં ઊંચા ઉત્કલનબિંદુ ધરાવતા પ્રવાહીની બાષ્પ,નીચા ઉત્કલનબિંદુ ધરાવતા પ્રવાહીની બાષ્પ પહેલાં સંઘનિત થાય છે.
વિધાન $II$: વિભાગીય સ્તંભ (fractionating column) માં ઉપર જતી બાષ્પમાં મિશ્રણના ઊંચા ઉત્કલનબિંદુ ધરાવતા ઘટકનું પ્રમાણ વધે છે.

$A, B, C$ એમ ત્રણ સંયોજનોના મિશ્રણને આલ્કોહોલનો દ્રાવક તરીકે ઉપયોગ કરીને $Al_2O_3$ ના સ્તંભ (column) માંથી પસાર કરવામાં આવે છે. સ્તંભમાંથી બહાર નીકળવાનો (eluted) ક્રમ $C, B, A$ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જ્યારે $TLC$ દ્રાવક $10 \, cm$ ઊંચાઈ પ્રાપ્ત કરે છે,ત્યારે સંયોજન $(A)$ $8 \, cm$ અને સંયોજન $(B)$ $6 \, cm$ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. $(A)$ અને $(B)$ ના $R_f$ મૂલ્યોની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo