$4 \,cm$ વ્યાસ ધરાવતા કાચના ગોળામાં રહેલો હવાનો પરપોટો જ્યારે વ્યાસની દિશામાં જોવામાં આવે ત્યારે આંખની સૌથી નજીકની સપાટીથી $1 \,cm$ દૂર દેખાય છે. જો કાચનો વક્રીભવનાંક $_a\mu_g = 1.5$ હોય,તો વક્રીભવનકારક સપાટીથી પરપોટાનું વાસ્તવિક અંતર .....$cm$ છે.

  • A
    $1.2$
  • B
    $3.2$
  • C
    $2.8$
  • D
    $1.6$

Explore More

Similar Questions

આંખને એક સિંગલ વક્રીભવન સપાટી તરીકે ગણી શકાય. આ સપાટીની વક્રતા ત્રિજ્યા કોર્નિયા $(7.8 \, mm)$ જેટલી છે. આ સપાટી $1$ અને $1.34$ વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમોને અલગ કરે છે. વક્રીભવન સપાટીથી તે અંતરની ગણતરી કરો જ્યાં પ્રકાશનું સમાંતર કિરણ કેન્દ્રિત થશે ($cm$ માં).

$R$ ત્રિજ્યા ધરાવતી વક્ર સપાટી બે માધ્યમોને અલગ કરે છે,જેના વક્રીભવનાંક $\mu_1$ અને $\mu_2$ છે,જે આકૃતિ $A$ અને $B$ માં દર્શાવેલ છે. આકૃતિ $A$ માં દર્શાવ્યા મુજબ $x$ અંતરે મૂકવામાં આવેલ વસ્તુ $O$ દ્વારા રચાતા આભાસી પ્રતિબિંબ માટે સાચું વિધાન પસંદ કરો.

$R$ ત્રિજ્યા ધરાવતી એક ગોલીય સપાટી $1$ અને $1.4$ વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમોને અલગ કરે છે,જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. એક બિંદુવત ઉદગમ ગોલીય સપાટીની સામે $4R$ અંતરે મૂકવામાં આવ્યું છે. બિંદુવત ઉદગમના પ્રતિબિંબની મોટવણીનું મૂલ્ય . . . . . . છે.

આકૃતિ $R$ ત્રિજ્યા અને $\mu$ વક્રીભવનાંક ધરાવતો એક પારદર્શક ગોળો દર્શાવે છે. એક વસ્તુ $O$ ને પ્રથમ સપાટીના ધ્રુવથી $x$ અંતરે એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી બરાબર સામેની સપાટીના ધ્રુવ પર વાસ્તવિક પ્રતિબિંબ રચાય. જો ગોળાનો વક્રીભવનાંક $\mu$ બદલવામાં આવે,તો વસ્તુનું સ્થાન $x$ પણ બદલાશે. સાચું વિધાન ઓળખો.

$1.6$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં એક બહિર્ગોળ સપાટી છે,જેમાં ધ્રુવથી $12 \,cm$ અંતરે એક બિંદુવત વસ્તુ મૂકવામાં આવી છે. સપાટીની વક્રતા ત્રિજ્યા $6 \,cm$ છે. હવામાંથી જોતા પ્રતિબિંબનું સ્થાન નક્કી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo