(N/A) પૃથ્વીના વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓ જેવા કે $CO_2, CH_4$ અને $CFCs$ ની સાંદ્રતામાં વધારો થવાને કારણે પૃથ્વીના તાપમાનમાં થતા વધારાને વૈશ્વિક ઉષ્ણતામાન (Global Warming) કહે છે.
અસરો: $(i)$ તાપમાનમાં વધારાને કારણે ધ્રુવીય બરફાચ્છાદિત શિખરો પીગળે છે,જેના પરિણામે દરિયાઈ સપાટીમાં વધારો થાય છે.
$(ii)$ વૈશ્વિક ઉષ્ણતામાનને કારણે નીંદણની વૃદ્ધિ ઝડપી બને છે,વનસ્પતિના રોગો અને જીવાતોનું પ્રમાણ વધે છે. આ પરિબળોને લીધે ઉષ્ણકટિબંધીય અને ઉપ-ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં પાકનું ઉત્પાદન ઘટે છે.
નિયંત્રણના ઉપાયો: $(i)$ જંગલોનો નાશ (Deforestation) ઘટાડવો અને પુનઃવનીકરણને પ્રોત્સાહન આપવું.
$(ii)$ વધુ વૃક્ષો વાવવા.
$(iii)$ ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોતોનો ઉપયોગ કરીને અશ્મિભૂત બળતણનો વપરાશ મર્યાદિત કરવો.
$(iv)$ માનવ વસ્તી વૃદ્ધિ પર નિયંત્રણ લાવવું.