(N/A) કાર્બન ટેટ્રાક્લોરાઈડના ઉપયોગો:
પ્રશીતક અને એરોસોલ કેન માટે નોદક (propellants) બનાવવા માટે તેનું મોટા જથ્થામાં ઉત્પાદન કરવામાં આવે છે.
તેનો ઉપયોગ ફલોરોક્લોરોકાર્બન અને અન્ય રસાયણોના સંશ્લેષણમાં કાચામાલ તરીકે થાય છે.
$1960$ના મધ્ય સુધી,તેનો ઉપયોગ ગ્રીઝ સાફ કરવા માટે,ઘરમાં દાગ દૂર કરવાના દ્રાવક તરીકે અને અગ્નિશામક તરીકે વ્યાપકપણે થતો હતો.
$(b)$ કાર્બન ટેટ્રાક્લોરાઈડથી થતાં નુકસાન:
કાર્બન ટેટ્રાક્લોરાઈડના સંપર્કથી મનુષ્યોમાં યકૃતનું કૅન્સર થાય છે.
તેનાથી ચક્કર આવવા,માથું હલકું થવું,ઉબકા અને ઊલટી થવી જેવી અસરો થાય છે,જે ચેતાકોષોને કાયમી નુકસાન પહોંચાડે છે.
વધુ પડતા સંપર્કથી ગંભીર પરિસ્થિતિમાં બેભાન થવું,કોમામાં જવું અથવા મૃત્યુ પણ થઈ શકે છે.
જ્યારે તે હવામાં મુક્ત થાય છે,ત્યારે તે વાતાવરણમાં પહોંચી ઓઝોન સ્તરનું ક્ષયન કરે છે.
ઓઝોન સ્તરના ક્ષયનને કારણે મનુષ્યો પારજાંબલી કિરણોના સંપર્કમાં વધુ આવે છે,જેનાથી ચામડીનું કૅન્સર,આંખના રોગો અને પ્રતિરક્ષા તંત્રમાં વિક્ષેપ પડી શકે છે.