(N/A) $1874$ માં ડચ વૈજ્ઞાનિક $J. van't\,Hoff$ અને ફ્રેન્ચ વૈજ્ઞાનિક $C. LeBel$ એ સ્વતંત્ર રીતે પ્રકાશક્રિયાશીલતા અને અણુઓના બંધારણ વચ્ચેનો સંબંધ આપ્યો.
$(i)$ મધ્યસ્થ કાર્બન: સંયોજનમાં મધ્યસ્થ કાર્બન પરમાણુની આસપાસ ચાર સમૂહો (સંયોજકતાઓ) સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા હોય છે.
$(ii)$ અસમમિત કાર્બન: જો સંયોજનમાં કાર્બન સાથે જોડાયેલા ચારેય વિસ્થાપકો જુદા-જુદા હોય,તો આવા કાર્બનને અસમમિત કાર્બન અથવા અવકાશકેન્દ્ર કહે છે.
$(iii)$ અસમમિતતા અને પ્રકાશક્રિયાશીલતા: અસમમિત કાર્બન (અવકાશકેન્દ્ર) ધરાવતા અણુઓમાં સમમિતિનો અભાવ હોય છે અને તેઓ અસમમિત હોય છે. આવા અસમમિત અણુઓ પ્રકાશક્રિયાશીલતા દર્શાવે છે.
$(iv)$ કિરાલ,કિરાલિટી અને પ્રકાશક્રિયાશીલતા: જે કાર્બનિક અણુને તેના પ્રતિબિંબિય બંધારણ પર અધ્યારોપિત કરી શકાતું નથી,તેમને કિરાલ બંધારણો કહે છે અને આ ગુણધર્મને કિરાલિટી કહે છે.
કિરાલિટી ધરાવતા અણુઓ અસમમિત કાર્બન ધરાવે છે અને પ્રકાશક્રિયાશીલતા દર્શાવે છે.
$(v)$ પ્રતિબિંબ સમઘટકો (ઈનેન્શિયોમર્સ): જે બે પ્રતિબિંબ અણુઓ પરસ્પર અધ્યારોપિત ન થઈ શકતા હોય તેવા અવકાશીય સમઘટકોને પ્રતિબિંબ સમઘટકો (ઈનેન્શિયોમર્સ) કહે છે.
તેઓ કિરાલ (અસમમિત) હોય છે અને કિરાલિટી (અસમમિતતા) ધરાવે છે.