(N/A) સવર્ગ સંયોજનો ગુણાત્મક અને જથ્થાત્મક રસાયણિક વિશ્લેષણમાં વ્યાપકપણે વપરાય છે. ધાતુ આયનોની વિવિધ લિગેન્ડ સાથેની રંગ આપતી પ્રક્રિયાઓ સંકીર્ણ સંયોજનોના નિર્માણને આભારી છે. આવા પ્રક્રિયકોમાં $EDTA$,$DMG$ (ડાયમિથાઈલ ગ્લાયોક્ઝાઈમ),$\alpha$-નાઈટ્રોસો,$\beta$-નેપ્થોલ,ક્યુપ્રોન વગેરેનો સમાવેશ થાય છે.
પાણીની કઠિનતાનું માપન $Na_{2}[EDTA]$ સાથેના અનુમાપન દ્વારા કરવામાં આવે છે. $Ca^{2+}$ અને $Mg^{2+}$ આયનો $EDTA$ સાથે સ્થાયી સંકીર્ણ બનાવે છે. આ આયનોનું વર્ણાત્મક પરિમાપન તેમના $Ca$ અને $Mg$ સંકીર્ણોના સ્થાયીતા અચળાંકમાં રહેલા તફાવતને કારણે શક્ય છે.
ધાતુઓના નિષ્કર્ષણમાં (દા.ત. ગોલ્ડ અને સિલ્વર) સંકીર્ણ નિર્માણનો ઉપયોગ થાય છે. દા.ત. ગોલ્ડ ઑક્સિજન અને પાણીની હાજરીમાં સાયનાઈડ સાથે જોડાઈને $[Au(CN)_{2}]^{-}$ સંકીર્ણ બનાવે છે,જેમાંથી $Zn$ ઉમેરીને ગોલ્ડ મેળવી શકાય છે.
ધાતુઓનું શુદ્ધિકરણ સંકીર્ણ સંયોજનોના નિર્માણ અને વિઘટન દ્વારા થાય છે. દા.ત. અશુદ્ધ $Ni$ ને $[Ni(CO)_{4}]$ માં ફેરવીને શુદ્ધ $Ni$ મેળવી શકાય છે.
જૈવિક પ્રણાલીમાં,પ્રકાશસંશ્લેષણ માટે જવાબદાર ક્લોરોફિલ એ મેગ્નેશિયમનું સવર્ગ સંયોજન છે.
હિમોગ્લોબિન,જે ઑક્સિજનનું વહન કરે છે,તે આયર્નનું સવર્ગ સંયોજન છે. વિટામિન $B_{12}$ (સાયનોકોબાલેમાઈન) એ કોબાલ્ટનું સવર્ગ સંયોજન છે.
કાર્બોક્સિ પેપ્ટિડિઝ-$A$ અને કાર્બોનિક એન્હાઈડ્રેઝ જેવા ઉત્સેચકો ધાતુ-સવર્ગીય છે.
ઔદ્યોગિક પ્રક્રમોમાં ઉદ્દીપક તરીકે સવર્ગ સંયોજનો વપરાય છે. દા.ત. વિલ્કિનસન ઉદ્દીપક $[(Ph_{3}P)_{3}RhCl]$ આલ્કીનના હાઈડ્રોજનીકરણમાં વપરાય છે.
સિલ્વર અને ગોલ્ડના વિદ્યુતઢોળ માટે $[Ag(CN)_{2}]^{-}$ અને $[Au(CN)_{2}]^{-}$ જેવા સંકીર્ણ દ્રાવણો વપરાય છે.
ફોટોગ્રાફીમાં,હાયપો દ્રાવણ અવિઘટિત $AgBr$ ને $[Ag(S_{2}O_{3})_{2}]^{3-}$ સંકીર્ણ બનાવીને દૂર કરે છે.
ઔષધીય રસાયણશાસ્ત્રમાં,કિલેટ ચિકિત્સા દ્વારા ધાતુનું વિષાલુકરણ દૂર કરવામાં આવે છે. $D$-પેનિસિલેમાઈન અને ડેસફેરોઝાઈમ-$B$ દ્વારા કૉપર અને આયર્ન દૂર કરી શકાય છે,જ્યારે $EDTA$ લેડના વિષાલુકરણમાં વપરાય છે.
$Pt$ ના કેટલાક સંયોજનો,જેમ કે સિસ-પ્લેટિન,ગાંઠની વૃદ્ધિ અટકાવે છે.