ધાતુ વધારો ક્ષતિ (Metal excess defect) વિશે સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ધાતુ વધારો ક્ષતિના બે પ્રકાર છે:
$(i)$ એનાયનીય (ઋણાયનીય) રિક્ત સ્થાનોના કારણે ધાતુ વધારો ક્ષતિ: $NaCl$ અને $KCl$ જેવા આલ્કલી હેલાઈડ આ પ્રકારની ક્ષતિ દર્શાવે છે. જ્યારે $NaCl$ ના સ્ફટિકને $Na$ બાષ્પના વાતાવરણમાં ગરમ કરવામાં આવે છે ત્યારે $Na$ પરમાણુ સ્ફટિકની સપાટી પર જમા થાય છે. $Cl^-$ આયનો સ્ફટિકની સપાટી પર પ્રસરણ પામે છે અને $Na$ પરમાણુ સાથે સંયોજાઈને $NaCl$ બનાવે છે.
આ પ્રક્રિયામાં $Na$ પરમાણુમાંથી $Na^+$ આયન બનતી વખતે ઈલેક્ટ્રોન મુક્ત થાય છે. આ મુક્ત થયેલા ઈલેક્ટ્રોન સ્ફટિકમાં પ્રસરણ પામે છે અને એનાયનીય સ્થાન રોકે છે. પરિણામે,સ્ફટિકમાં $Na$ નું પ્રમાણ વધી જાય છે.
અયુગ્મિત ઈલેક્ટ્રોન દ્વારા રોકાયેલા એનાયનીય સ્થાનોને $F$-કેન્દ્ર (જર્મન શબ્દ $Farbenzenter$ - રંગીન કેન્દ્ર) કહે છે,જે $NaCl$ ના સ્ફટિકને પીળો રંગ આપે છે.
આ રંગ જ્યારે સ્ફટિક તેના પર પડતા દ્રશ્ય પ્રકાશમાંથી ઊર્જા શોષે છે ત્યારે ઉત્તેજિત થતા ઈલેક્ટ્રોનને લીધે હોય છે. આ જ પ્રમાણે,વધારાનું $Li$ એ $LiCl$ ના સ્ફટિકને આછો ગુલાબી અને વધારાનું $K$ એ $KCl$ ના સ્ફટિકને જાંબલી (અથવા નીલવર્ણી) બનાવે છે.
$(ii)$ આંતરાલીય સ્થાનો પર વધારાના ધનાયનના કારણે ઉદ્ભવતી ક્ષતિ: આ ક્ષતિ આંતરાલીય સ્થાનો પર વધારાના ધાતુ આયનોની હાજરીને કારણે ઉદ્ભવે છે.
$ZnO$ ઓરડાના તાપમાને સફેદ રંગનો હોય છે. તેને ગરમ કરતા તે ઓક્સિજન ગુમાવે છે અને પીળા રંગમાં ફેરવાય છે. પ્રક્રિયા: $ZnO \xrightarrow{\Delta} Zn^{2+} + \frac{1}{2}O_2 + 2e^-$.
હવે સ્ફટિકમાં ઝિંકનું પ્રમાણ વધે છે અને તેનું સૂત્ર $Zn_{1+x}O$ બને છે. વધારાના $Zn^{2+}$ આયનો આંતરાલીય સ્થાનો તરફ ખસે છે અને ઈલેક્ટ્રોન નજીકના આંતરાલીય સ્થાનો તરફ ખસે છે.

Explore More

Similar Questions

જો $NaCl$ માં $10^{-4} \, \text{mole} \%$ $SrCl_2$ ઉમેરવામાં આવે,તો ઉદભવતા ધન આયન છિદ્રોની સાંદ્રતા કેટલી થશે? $(N_A = 6.02 \times 10^{23} \, \text{mol}^{-1})$

Difficult
View Solution

જ્યારે $AgCl$ માં $10^{-4} \, {\text{મોલ ટકા}}$ $RuCl_3$ ઉમેરવામાં આવે છે,ત્યારે $AgCl$ ના પ્રતિ મોલ કેટલા કેટાયનિક વેકેન્સી (ધન આયન અવકાશ) ની સાંદ્રતા હશે?

$Schottky$ ક્ષતિમાં .....

$Schottky$ ક્ષતિ ધરાવતા સ્ફટિકો વિશેનું અયોગ્ય વિધાન કયું છે?

ઘનમાં ઉદભવતી ખામીને અનુંલક્ષીને કરેલાં વિધાનો માટે યોગ્ય સંકેત $T$ કે $F$ વાપરો.
$(1)$ કદમાં ખૂબ ઓછો તફાવત ધરાવતા ઘન આયન અને ઋણ આયનોની ગોઠવણીમાં ખામીને લીધે ફેન્કલ ક્ષતિ ઉદભવે છે.
$(2)$ ફેન્કલ ક્ષતિને વિસ્થાપિત ક્ષતિ કહી શકાય.
$(3)$ ધાતુ પરમાણુમાંથી છુટા પડતા ઇલેકટ્રૉનના સ્ફટિકમાં થતા સ્થાનાંતરને લીધે કેન્દ્ર $F$ ઉદભવે છે.
$(4)$ શોટ્કી ક્ષતિને લીધે સ્ફટિકના ભૌતિક ગુણધમોં બદલાતા નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo