પાણીની કાયમી કઠિનતા દૂર કરવાની રીતો સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) પાણીની કાયમી કઠિનતા પાણીમાં રહેલા કૅલ્શિયમ અને મેગ્નેશિયમના ક્લોરાઇડ અને સલ્ફેટ સ્વરૂપના દ્રાવ્ય ક્ષારોને કારણે હોય છે.
$(i)$ ધોવાનો સોડા (સોડિયમ કાર્બોનેટ) સાથેની પ્રક્રિયા: ધોવાનો સોડા કઠિન પાણીમાં રહેલા દ્રાવ્ય કૅલ્શિયમ અને મેગ્નેશિયમના સલ્ફેટ અને ક્લોરાઈડ સાથે પ્રક્રિયા કરી અદ્રાવ્ય કાર્બોનેટ બનાવે છે.
$MCl_{2} + Na_{2}CO_{3} \longrightarrow MCO_{3} \downarrow + 2NaCl$ $(M = Mg, Ca)$
$MSO_{4} + Na_{2}CO_{3} \longrightarrow MCO_{3} \downarrow + Na_{2}SO_{4}$
$(ii)$ કાલગોન પદ્ધતિ: સોડિયમ હેક્ઝામેટાફોસ્ફેટ $(Na_{6}P_{6}O_{18})$,જેને વ્યાપારિક રીતે 'કાલગોન' કહેવામાં આવે છે,તેને કઠિન પાણીમાં ઉમેરતાં નીચે મુજબની પ્રક્રિયાઓ થાય છે:
$Na_{6}P_{6}O_{18} \longrightarrow 2Na^{+} + Na_{4}P_{6}O_{18}^{2-}$
$M^{2+} + Na_{4}P_{6}O_{18}^{2-} \longrightarrow [Na_{2}MP_{6}O_{18}]^{2-} + 2Na^{+}$ $(M = Mg, Ca)$
આ સંકીર્ણ ઋણઆયન $Mg^{2+}$ અને $Ca^{2+}$ ને દ્રાવણમાં જાળવી રાખે છે.
$(iii)$ આયન વિનિમય પદ્ધતિ: આ પદ્ધતિને ઝીઓલાઈટ/પરમ્યૂટિટ પદ્ધતિ પણ કહે છે. જળયુક્ત સોડિયમ એલ્યુમિનિયમ સિલિકેટને ઝીઓલાઈટ/પરમ્યૂટિટ તરીકે ઓળખવામાં આવે છે. તેને $NaZ$ તરીકે દર્શાવવામાં આવે છે,જે કઠિન પાણીમાં ઉમેરતા વિસ્થાપન પ્રક્રિયા થાય છે:
$2NaZ_{(s)} + M^{2+}_{(aq)} \longrightarrow MZ_{2(s)} + 2Na^{+}_{(aq)}$ $(M = Mg, Ca)$
જ્યારે ઝીઓલાઈટમાં રહેલો બધો સોડિયમ વપરાઈ જાય ત્યારે તે બિનકાર્યક્ષમ બને છે,પરંતુ તેને જલીય સોડિયમ ક્લોરાઈડના દ્રાવણ દ્વારા પુનઃજીવિત કરી શકાય છે:
$MZ_{2(s)} + 2NaCl_{(aq)} \longrightarrow 2NaZ_{(s)} + MCl_{2(aq)}$
$(iv)$ સાંશ્લેષિત રેઝિન પદ્ધતિ: હાલમાં કઠિન પાણીને નરમ બનાવવા માટે સાંશ્લેષિત ધન આયન વિનિમયકર્તાનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિ ઝીઓલાઈટ પદ્ધતિ કરતાં વધુ અસરકારક છે.
સાંશ્લેષિત રેઝિનમાં $-SO_{3}H$ સમૂહ ધરાવતો મોટો કાર્બનિક અણુ હોય છે. રેઝિન $(RSO_{3}H)$ ને $NaCl$ સાથે પ્રક્રિયા કરી $(RNa)$ માં ફેરવવામાં આવે છે. જ્યારે કઠિન પાણીને આ રેઝિન $(RNa)$ માંથી પસાર કરવામાં આવે છે,ત્યારે $Ca^{2+}$ અને $Mg^{2+}$ આયનો $Na^{+}$ આયનો સાથે વિનિમય પામે છે:
$2RNa_{(s)} + M^{2+}_{(aq)} \longrightarrow R_{2}M_{(s)} + 2Na^{+}_{(aq)}$
આ રેઝિનને જલીય સોડિયમ ક્લોરાઈડના દ્રાવણની મદદથી પુનઃકાર્યક્ષમ બનાવી શકાય છે.

Explore More

Similar Questions

પાણીને નરમ કરવાની વિવિધ પદ્ધતિઓ વિશે સાચું વિધાન પસંદ કરો.

Difficult
View Solution

આયન વિનિમય રેઝિન દ્વારા પાણીના વિખનીજીકરણ (demineralization) વિશે ટૂંકમાં ચર્ચા કરો.

લીસ્ટ-$I$ ને લીસ્ટ-$II$ સાથે જોડો અને નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો જવાબ પસંદ કરો.
લીસ્ટ-$I$ લીસ્ટ-$II$
$1.$ હેવી વોટર $(a)$ પાણીમાં $Ca$ અને $Mg$ ના બાયકાર્બોનેટ
$2.$ અસ્થાયી કઠિન પાણી $(b)$ પાણીમાં કોઈ બાહ્ય આયનો ન હોય
$3.$ નરમ પાણી $(c)$ $D_2O$
$4.$ સ્થાયી કઠિન પાણી $(d)$ પાણીમાં $Ca$ અને $Mg$ ના સલ્ફેટ અને ક્લોરાઇડ

પોલીફોસ્ફેટનો ઉપયોગ પાણીને નરમ બનાવવા માટે થાય છે કારણ કે તે:

Difficult
View Solution

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-$I$: પાણીને નરમ બનાવવા માટે પરમ્યુટિટ પદ્ધતિ એ સિન્થેટિક રેઝિન પદ્ધતિ કરતા વધુ કાર્યક્ષમ છે.
વિધાન-$II$: સિન્થેટિક રેઝિન પદ્ધતિના પરિણામે દ્રાવ્ય સોડિયમ ક્ષારોનું નિર્માણ થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo