પ્રથમ સંક્રાંતિશ્રેણીના તત્ત્વોના આયનોનું અનુચુંબકત્વ શાથી ઉત્પન્ન થાય છે ? આ તત્ત્વોના આયનોની ગણતરી કરેલી અને પ્રાયોગિક અવલોકિત ચુંબકીય ચાકમાત્રા જણાવો.
અનુચુંબકત્વ અયુગ્મિત ઈલેક્ટ્રોનની હાજરીના કારણે ઉત્પન્ન થાય છે.
દરેક અયુગ્મ ઈલેક્ટ્રૉન બે પ્રકારની ગતિ સતત કરે છે. $(i)$ ભ્રમણ કોણીય સંવેગ અને $(ii)$ કક્ષકીય કોણીય સંવેગ. આમાંથી સંક્રાંતિ ધાતુઓની પ્રથમ શ્રેણીનાં સંયોજનો માટે કક્ષકીય કોણીય સંવેગનો ફાળો અસરકારક રીતે શમિત થાય છે અને તેથી તેનો ફાળો ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યમાં અર્થસૂચક નથી. જેથી ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય હાજર અયુગ્મ ઈલેક્ટ્રોનની સંખ્યા વડે નક્કી કરવામાં આવે છે.
ચુંબકીય ચાકમાત્રાની ગણતરી 'ભ્રમણ માત્ર' સૂત્રથી ગણાય છે. જે નીચે મુજબ થાય છે.
$\mu=\sqrt{n(n+2)} BM$ જ્યાં, $\quad n=$ અયુગ્મ ઈલેક્ટ્રૉનની સંખ્યા
$\mu=$ ચુંબકીય ચાકમાત્રા (જેનો એકમ બૉહ્ર મૅગ્નેટોન $(BM)$ છે.)
જેથી અયુગ્મિત ઈલેક્ટ્રોનની સંખ્યા વધે તેમ ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય વધે છે.
નીચેના કોઠામાં ગણતતરી કરેલા અને પ્રાયોગિક અવલોકિત ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યો આપ્યા છે :
કારણો આપીને સમજાવો :
$(i)$ સંક્રાંતિ તત્ત્વો અને તેમના ઘણા સંયોજનો અનુચુંબકીય વર્તણૂક દર્શાવે છે.
$(ii) $ સંક્રાંતિ ધાતુઓની પરમાણ્વીકરણ એન્થાલ્પી ઊંચી હોય છે.
$(iii)$ સામાન્ય રીતે સંક્રાંતિ ધાતુઓ રંગીન સંયોજનો બનાવે છે.
$(iv)$ સંક્રાંતિ ધાતુઓ અને તેમના ઘણા સંયોજનો સારા ઉદીપક તરીકે વર્તે છે.
પ્રથમ હરોળના સાપેક્ષમાં દ્વિતીય અને તૃતીય સંક્રાંતિ તત્ત્વો પરસ્પર વધારે મળતાં આવે છે. સમજાવો. શાથી ?
નીચેનામાંથી કયુ સક્રાંતિ ધાતુના લક્ષણિક ગુણધર્મ નથી ?
નીચે દર્શાવેલ સંક્રાંતિ તત્વોની આયનોની શ્રેણી માંથી કઇ શ્રેણીના આયનો $3d^2$ ઇલેક્ટ્રોનીક રચના ધરાવે છે ?
સંક્રાંતિ ધાતુઓની પ્રથમ હરોળ માટે $E $ મૂલ્યો :
${E^\Theta }$ | $V$ | $Cr$ | $Mn$ | $Fe$ | $Co$ | $Ni$ | $Cu$ |
$\left( {{M^{2 + }}/M} \right)$ | $-1.18$ | $-0.91$ | $-1.18$ | $-0.44$ | $-0.28$ | $-0.25$ | $+0.35$ |
ઉપરના મૂલ્યોમાં અનિયમિતતાને સમજાવો.