પ્રથમ સંક્રાંતિશ્રેણીના તત્ત્વોના આયનોનું અનુચુંબકત્વ શાથી ઉત્પન્ન થાય છે ? આ તત્ત્વોના આયનોની ગણતરી કરેલી અને પ્રાયોગિક અવલોકિત ચુંબકીય ચાકમાત્રા જણાવો.
અનુચુંબકત્વ અયુગ્મિત ઈલેક્ટ્રોનની હાજરીના કારણે ઉત્પન્ન થાય છે.
દરેક અયુગ્મ ઈલેક્ટ્રૉન બે પ્રકારની ગતિ સતત કરે છે. $(i)$ ભ્રમણ કોણીય સંવેગ અને $(ii)$ કક્ષકીય કોણીય સંવેગ. આમાંથી સંક્રાંતિ ધાતુઓની પ્રથમ શ્રેણીનાં સંયોજનો માટે કક્ષકીય કોણીય સંવેગનો ફાળો અસરકારક રીતે શમિત થાય છે અને તેથી તેનો ફાળો ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યમાં અર્થસૂચક નથી. જેથી ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય હાજર અયુગ્મ ઈલેક્ટ્રોનની સંખ્યા વડે નક્કી કરવામાં આવે છે.
ચુંબકીય ચાકમાત્રાની ગણતરી 'ભ્રમણ માત્ર' સૂત્રથી ગણાય છે. જે નીચે મુજબ થાય છે.
$\mu=\sqrt{n(n+2)} BM$ જ્યાં, $\quad n=$ અયુગ્મ ઈલેક્ટ્રૉનની સંખ્યા
$\mu=$ ચુંબકીય ચાકમાત્રા (જેનો એકમ બૉહ્ર મૅગ્નેટોન $(BM)$ છે.)
જેથી અયુગ્મિત ઈલેક્ટ્રોનની સંખ્યા વધે તેમ ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય વધે છે.
નીચેના કોઠામાં ગણતતરી કરેલા અને પ્રાયોગિક અવલોકિત ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યો આપ્યા છે :
$Zn ^{2+}, \,Ni ^{2+}$ અને $Cr ^{3+}$ આયન માટે નીચેના વિધાનોમાંથી કયુ સાચું છે?
($Zn =30,\,Ni =28$ અને $Cr =24$ના પરમાણ્વીય ક્રમાંક )
$Cr $ ની ઇલેકટ્રોન રચના નીચેના પૈકી કઇ છે
નીચેનામાંથી કયું અનુચુંબકીય આયન 5 BM ક્રમના ચુંબકીય ચાકમાત્રા (સ્પીન) ધરાવે છે? $Mn = 25, Cr = 24, V = 23, Ti = 22.$
$\left[ MnBr _{6}\right]^{4-}$નો ફક્ત સ્પીન ચુંબકિય ચાકમાત્રા $.....\,B.M.$(નજીકના પૂર્ણાંકમાં)
સંક્રાતિ તત્વો એ ઉદ્દીપક તરીકે વર્તેં છે કારણ કે....