(N/A) મિથેનોલ $CH_3OH$ છે,જ્યારે ઈથેનોલ $C_2H_5OH$ છે. બંનેનું જૈવિક ઓક્સિડેશન થઈને અનુવર્તી આલ્ડિહાઈડ $(HCHO, CH_3CHO)$ અને ત્યારબાદ એસિડ $(HCOOH, CH_3COOH)$ બને છે.
અસર: વિકૃત આલ્કોહોલ તે મિથેનોલ મિશ્રિત ઈથેનોલ છે. જો દારૂનો વ્યસની વિકૃત આલ્કોહોલ પી લે,તો મિથેનોલનું પ્રથમ મિથેનાલમાં અને પછી મિથેનોઈક એસિડમાં રૂપાંતર થાય છે. આનાથી અંધાપો આવી શકે છે અને મૃત્યુ પણ થઈ શકે છે.
સારવાર: મિથેનોલ પીવાથી ઉદ્ભવતી વિષાલુ અસરથી પીડાતા દર્દીને સારવારમાં આંત:શિરા (intravenous) દ્વારા મંદ ઈથેનોલ આપવામાં આવે છે. આલ્ડિહાઈડ $(HCHO)$નું એસિડમાં ઓક્સિડેશન કરતા ઉત્સેચકને ઈથેનોલ અવરોધે છે,જેથી કિડનીને મિથેનોલનું ઉત્સર્જન કરવા માટે સમય મળે છે અને દર્દીને બચાવી શકાય છે.