(N/A) શરૂઆતના તબક્કે ન્યુક્લિઅર ઊર્જાને વીજળી ઉત્પન્ન કરવા માટેની પ્રદૂષણરહિત પદ્ધતિ માનવામાં આવતી હતી. ત્યારબાદ ખ્યાલ આવ્યો કે તેના ઉપયોગની બે ગંભીર સમસ્યાઓ છે: $(i)$ આકસ્મિક ઝરણ (leakage),જેમ કે શ્રી માઈલ આઈલેન્ડ અને ચર્નોબિલની ઘટનાઓ,અને (ii) કિરણોત્સર્ગી કચરાનો સુરક્ષિત નિકાલ.
કિરણોત્સર્ગી કચરામાંથી નીકળતા વિકિરણો સજીવો માટે ખૂબ જ ઘાતક હોય છે,કારણ કે તે ખૂબ ઊંચા દરે વિકૃતિઓ (mutations) પ્રેરે છે. ન્યુક્લિઅર વિકિરણોની વધુ માત્રા જીવલેણ હોય છે,પરંતુ ઓછી માત્રા પણ વિવિધ વિકારો ઉત્પન્ન કરે છે,જેમાં કેન્સર સૌથી સામાન્ય છે.
તેથી,ન્યુક્લિઅર કચરો અત્યંત જોખમી પ્રદૂષક છે અને તેનો નિકાલ અત્યંત સાવચેતીપૂર્વક કરવો જોઈએ.
ભલામણ કરવામાં આવે છે કે ન્યુક્લિઅર કચરાને પૂર્વ-સારવાર આપ્યા પછી,યોગ્ય રીતે કવચ ધરાવતા સંગ્રાહકો (ટાંકીઓ) માં સંગ્રહિત કરી,પૃથ્વીની સપાટીની નીચે લગભગ $500 \ m$ ઊંડે ખડકોમાં દાટી દેવો જોઈએ.