(N/A) ઘન કચરામાં એવી તમામ વસ્તુઓનો સમાવેશ થાય છે જેનો કચરા તરીકે નિકાલ કરવામાં આવે છે. નગરપાલિકાના ઘન કચરામાં ઘરો,કાર્યાલયો,દુકાનો,શાળાઓ,હોસ્પિટલો વગેરેમાંથી નીકળતા કચરાનો સમાવેશ થાય છે,જેનું નગરપાલિકા દ્વારા એકત્રીકરણ અને નિકાલ કરવામાં આવે છે. તેમાં સામાન્ય રીતે કાગળ,ખોરાકનો કચરો,પ્લાસ્ટિક,કાચ,ધાતુઓ,રબર,ચામડું,કાપડ વગેરેનો સમાવેશ થાય છે. કચરાને બાળવાથી તેના કદમાં ઘટાડો થાય છે,પરંતુ તે સંપૂર્ણ રીતે બળતો નથી અને ખુલ્લા ડમ્પિંગ સાઇટ્સ ઉંદરો અને માખીઓ માટે પ્રજનનનું સ્થળ બની જાય છે.
ખુલ્લામાં કચરો બાળવાની પદ્ધતિના વિકલ્પ તરીકે સેનિટરી લેન્ડફિલ્સ અપનાવવામાં આવી હતી. આ લેન્ડફિલ્સમાં,કચરાને સંઘનિત (compact) કર્યા પછી ખાડા કે ખાઈમાં નાખવામાં આવે છે અને દરરોજ માટીથી ઢાંકી દેવામાં આવે છે.
જોકે,મોટા શહેરોમાં ઉત્પન્ન થતા મ્યુનિસિપલ કચરાનું પ્રમાણ એટલું વધારે છે કે આ પદ્ધતિ નિષ્ફળ સાબિત થઈ રહી છે. આ ઉપરાંત,આ લેન્ડફિલ્સમાંથી રસાયણો વગેરેનું ઝમણ થવાનો ભય રહે છે,જે ભૂગર્ભ જળ સંસાધનોને પ્રદૂષિત કરે છે.