વસ્તીગીચતામાં વધઘટ થવા માટે જવાબદાર વિવિધ પ્રક્રિયાઓ વર્ણવો.
કોઈ પણ જાતિ માટે વસ્તીનું કદ એ સ્થિર માપદંડ (static parameter) નથી. તે સમયે-સમયે બદલાતું રહે છે, જે આહારની ઉપલબ્ધિ, પરભક્ષણ પ્રભાવ અને વિપરિત હવામાન સમાવેશિત વિવિધ પરિબળો પર આધાર રાખે છે.
વાસ્તવમાં, વસ્તીગીચતામાં થતા આ ફેરફારો આપણને વસ્તીમાં શું થઈ રહ્યું છે તેનો ખ્યાલ (વિચાર-idea) આપે છે-કે શું તે (વસ્તીગીચતા) વધી રહી છે કે ઘટી રહી છે. અંતિમ કારણ કોઈ પણ રહ્યું હોય, પરંતુ આપેલ સમય દરમિયાન, આપેલ નિવાસસ્થાનોમાં, વસ્તીની ગીચતા એ ચાર મૂળભૂત પ્રક્રિયાઓમાં ફેરફાર થવાને કારણે વધતી-ઘટતી રહે છે. આ ચારમાંથી બે (જન્મદર અને અંતઃસ્થળાંતરણ) વસ્તીગીચતામાં વધારો કરવામાં તથા બે (મૃત્યુદર અને બર્હિ
સ્થળાંતરણ) તેમાં ઘટાડો કરવામાં ફાળો આપે છે.
$(i)$ જન્મદર (Natality): વસ્તીમાં આપેલ સમયગાળા દરમિયાન જન્મની (જન્મ પામતા સજીવોની) એ સંખ્યા તરીકે ઉલ્લેખાય છે, જે આરંભિક ગીચતામાં ઉમેરો કરે છે.
$(ii)$ મૃત્યુદર (Mortality) : આપેલ સમયગાળા દરમિયાન વસ્તીમાં મૃત્યુની (મૃત્યુ પામતા સજીવોની સંખ્યા છે.
$(iii)$ અંતઃસ્થળાંતરણ Immigration) : એ જ જાતિના વ્યક્તિગત સજીવોની સંખ્યા વિચારણામાં લેવાય છે, જે આપેલ સમયગાળા દરમિયાન અન્ય જગ્યાએથી નિવાસસ્થાન (વસવાટ)માં ચાલ્યા આવે છે.
$(iv)$ બર્હિસ્થળાંતરણ (Emigration) : વસ્તીના સજીવોની એ સંખ્યા વિચારણામાં લેવાય છે જે આપેલ સમયગાળા દરમિયાન નિવાસસ્થાન છોડીને બીજે ક્યાંક ચાલ્યા ગયા છે.
કોઈ વસ્તીની વૃધ્ધિ કરવાની જન્મજાત શકિતનું માપન........છે.
નેટાલિટી એટલે
પર્યાવરણની ક્ષમતા કે જેમાં પ્રજાતિ મહત્તમ પોષણ મેળવી શકે છે. તેને શું કહે છે?
વસ્તીમાં વૃદ્ધિનું કારણઃ-
$J-$ આકારના વૃદ્ધિ, વળાંક માટે શું સાચું છે.