વસ્તીગીચતામાં વધઘટ થવા માટે જવાબદાર વિવિધ પ્રક્રિયાઓ વર્ણવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

કોઈ પણ જાતિ માટે વસ્તીનું કદ એ સ્થિર માપદંડ (static parameter) નથી. તે સમયે-સમયે બદલાતું રહે છે, જે આહારની ઉપલબ્ધિ, પરભક્ષણ પ્રભાવ અને વિપરિત હવામાન સમાવેશિત વિવિધ પરિબળો પર આધાર રાખે છે.

વાસ્તવમાં, વસ્તીગીચતામાં થતા આ ફેરફારો આપણને વસ્તીમાં શું થઈ રહ્યું છે તેનો ખ્યાલ (વિચાર-idea) આપે છે-કે શું તે (વસ્તીગીચતા) વધી રહી છે કે ઘટી રહી છે. અંતિમ કારણ કોઈ પણ રહ્યું હોય, પરંતુ આપેલ સમય દરમિયાન, આપેલ નિવાસસ્થાનોમાં, વસ્તીની ગીચતા એ ચાર મૂળભૂત પ્રક્રિયાઓમાં ફેરફાર થવાને કારણે વધતી-ઘટતી રહે છે. આ ચારમાંથી બે (જન્મદર અને અંતઃસ્થળાંતરણ) વસ્તીગીચતામાં વધારો કરવામાં તથા બે (મૃત્યુદર અને બર્હિ

સ્થળાંતરણ) તેમાં ઘટાડો કરવામાં ફાળો આપે છે.

$(i)$ જન્મદર (Natality): વસ્તીમાં આપેલ સમયગાળા દરમિયાન જન્મની (જન્મ પામતા સજીવોની) એ સંખ્યા તરીકે ઉલ્લેખાય છે, જે આરંભિક ગીચતામાં ઉમેરો કરે છે.

$(ii)$ મૃત્યુદર (Mortality) : આપેલ સમયગાળા દરમિયાન વસ્તીમાં મૃત્યુની (મૃત્યુ પામતા સજીવોની સંખ્યા છે.

$(iii)$ અંતઃસ્થળાંતરણ Immigration) : એ જ જાતિના વ્યક્તિગત સજીવોની સંખ્યા વિચારણામાં લેવાય છે, જે આપેલ સમયગાળા દરમિયાન અન્ય જગ્યાએથી નિવાસસ્થાન (વસવાટ)માં ચાલ્યા આવે છે.

 

$(iv)$ બર્હિસ્થળાંતરણ (Emigration) : વસ્તીના સજીવોની એ સંખ્યા વિચારણામાં લેવાય છે જે આપેલ સમયગાળા દરમિયાન નિવાસસ્થાન છોડીને બીજે ક્યાંક ચાલ્યા ગયા છે.

Similar Questions

કોઈ વસ્તીની વૃધ્ધિ કરવાની જન્મજાત શકિતનું માપન........છે.

નેટાલિટી એટલે

  • [NEET 2018]

પર્યાવરણની ક્ષમતા કે જેમાં પ્રજાતિ મહત્તમ પોષણ મેળવી શકે છે. તેને શું કહે છે?

વસ્તીમાં વૃદ્ધિનું કારણઃ-

$J-$ આકારના વૃદ્ધિ, વળાંક માટે શું સાચું છે.