(N/A) કોઈ પણ જાતિ માટે વસ્તીનું કદ એ સ્થિર માપદંડ $(static parameter)$ નથી. તે સમયે-સમયે બદલાતું રહે છે, જે આહારની ઉપલબ્ધિ, પરભક્ષણ પ્રભાવ અને વિપરિત હવામાન જેવા વિવિધ પરિબળો પર આધાર રાખે છે.
વાસ્તવમાં, વસ્તીગીચતામાં થતા આ ફેરફારો આપણને વસ્તીમાં શું થઈ રહ્યું છે તેનો ખ્યાલ આપે છે—કે શું તે વધી રહી છે કે ઘટી રહી છે। અંતિમ કારણ કોઈ પણ હોય, પરંતુ આપેલ સમય દરમિયાન, આપેલ નિવાસસ્થાનમાં, વસ્તીની ગીચતા ચાર મૂળભૂત પ્રક્રિયાઓમાં ફેરફાર થવાને કારણે વધતી-ઘટતી રહે છે. આ ચારમાંથી બે (જન્મદર અને અંતઃસ્થળાંતરણ) વસ્તીગીચતામાં વધારો કરવામાં તથા બે (મૃત્યુદર અને બર્હિસ્થળાંતરણ) તેમાં ઘટાડો કરવામાં ફાળો આપે છે.
$(i)$ જન્મદર $(Natality)$: વસ્તીમાં આપેલ સમયગાળા દરમિયાન જન્મ પામતા સજીવોની એ સંખ્યા, જે આરંભિક ગીચતામાં ઉમેરો કરે છે.
$(ii)$ મૃત્યુદર $(Mortality)$: આપેલ સમયગાળા દરમિયાન વસ્તીમાં થતા મૃત્યુની સંખ્યા.
$(iii)$ અંતઃસ્થળાંતરણ $(Immigration)$: એ જ જાતિના વ્યક્તિગત સજીવોની સંખ્યા જે આપેલ સમયગાળા દરમિયાન અન્ય જગ્યાએથી નિવાસસ્થાનમાં આવીને જોડાયા છે.
$(iv)$ બર્હિસ્થળાંતરણ $(Emigration)$: વસ્તીના સજીવોની એ સંખ્યા જે આપેલ સમયગાળા દરમિયાન નિવાસસ્થાન છોડીને બીજે ક્યાંક ચાલ્યા ગયા છે.